જો પરમેશ્વરે જે વાયદો કરયો છે એને મેળવવા હાટુ આપડે મુસાના શાસ્ત્રનું પાલન કરવાનું છે, તો એનો અરથ આ છે કે, આપડે ઈ કૃપા પરમેશ્વરનાં વાયદાના કારણે નથી મળી. પણ પરમેશ્વરે ઈબ્રાહિમને ઈ આશીર્વાદ ઈ હાટુ દીધો કેમ કે, એણે પેલા એને વાયદો કરયો હતો.
ભુંડાની હામે ભુંડા નો થાવ, અને ગાળ નો દયો, પણ એના બદલે આશીર્વાદ જ દયો, કેમ કે, પરમેશ્વરે તમને બોલાવ્યા છે, જેથી તમે બીજાને આશીર્વાદ દય હકો, જો તમે આવું કરો છો તો, પરમેશ્વર પણ તમને આશીર્વાદ દેહે.