પણ ઈસુએ એને જવાબ દીધો કે, “હમણાં આમ થાવા દયો કેમ કે, આવી રીતે આપડીથી જે પરમેશ્વર કરવા માગે છે ઈ જ પરમાણે આપડે કરી છયી.” તઈ યોહાને ઈસુના કીધા પરમાણે કરયુ.
કોય પણ મારો જીવ મારી પાહેથી લય હકતો નથી, પણ હું મારી મરજીથી એને આપું છું મને એને આપવાનો અધિકાર છે, અને પાછો લય લેવાનો પણ અધિકાર છે. કેમ કે, આ ઈજ આજ્ઞા છે જે મને મારા બાપ પાહેથી મળી છે.
પરમેશ્વરે કોયદી કોય સ્વર્ગદુતને એવું નથી કીધું કે, “તું મારો દીકરો છો, અને હું તારો બાપ છું?” અને પછી એણે એવું પોતાના કોય પણ સ્વર્ગદુતને નથી કીધું કે, “હું એનો બાપ બનય અને ઈ મારો દીકરો બનશે?”