Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 3:5 - કોલી નવો કરાર

5 મુસા તો પરમેશ્વરનાં ઘરના બધાય લોકોને ઈ કેવા હાટુ ચાકરની જેમ વિશ્વાસુ રેય કે, પરમેશ્વર રીતી-રિવાજો અને નિશાની જેમ વાતોનો અરથ આવનારા વખતમાં પરગટ કરશે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 3:5
35 ပူးပေါင်းရင်းမြစ်များ  

એક વિશ્વાસી અને બુદ્ધિશાળી ચાકર ઈ હોય છે, જેને ઘરનો માલીક બીજા ચાકરોનું ધ્યાન રાખવા હાટુ કારભારી ઠરાવે છે અને માલીક તેઓને બરાબર વખતે ખાવાનું આપવાનું કેય છે, પછી ઈ લાંબી યાત્રાએ નીકળી જાય છે.


તઈ એના માલિકે એને કીધું કે, “શાબાશ હારા અને વિશ્વાસુ ચાકર! તું થોડીક સંપતીમાં વિશ્વાસુ માલુમ પડયો છે, ઈ હાટુ હું તને ઘણી મિલકત ઉપર અધિકારી ઠેરાવય. તું તારા માલિકનાં આનંદમાં ભાગીદાર થા.”


પરભુએ કીધું કે, એક વિશ્વાસી અને બુદ્ધિશાળી ચાકર કોણ છે, શું ઈ જેને ઘરનો માલીક બીજા ચાકરોનું ધ્યાન રાખવા હાટુ કારભારી ઠરાવે છે, જેથી ઈ તેઓને વખતસર ખાવાની વસ્તુઓ આપે?


પછી ઈસુએ આખા શાસ્ત્રમાંથી મુસાની સોપડીમાથી શરુઆત કરીને બધાય આગમભાખીયાઓના લખાણોમાં પોતાના વિષે જે જે કીધું છે ઈ તેઓને હમજાવુ.


પછી ઈસુએ તેઓને કીધું કે, “હું તમારી હારે હતો, તઈ મે ઈ વાતો તમને કીધી હતી કે, જે મુસાના શાસ્ત્રમાં અને આગમભાખીયાની સોપડીમા અને ગીતશાસ્ત્રમાં મારી વિષે લખ્યું છે ઈ બધુય પરમેશ્વર પુરું કરશે.”


તમે શાસ્ત્ર ઈ હાટુ વાસી લયો, કેમ કે તમે માનો છો કે, એમા જ અનંતકાળનું જીવન મળે છે, પણ આજ શાસ્ત્ર મારી વિષે સાક્ષી પુરે છે.


તઈ ઈ યહુદી લોકોએ પાઉલ હાટુ એક દિ ઠરાવ્યો, અને ઘણાય બધા લોકો એની ન્યા ભેગા થયા, અને ઈ પરમેશ્વરનાં રાજ્યની સાક્ષી દેતા, અને મુસાના નિયમ અને આગમભાખીયાઓની સોપાડીથી ઈસુના વિષયમાં હમજાવી હમજાવીને હવારથી હાંજ લગી બતાવતો રયો.


આ ઈ જ મુસા છે જેણે ઈઝરાયલ દેશના લોકોને કીધું કે, “પરમેશ્વર તમારા ભાઈઓમાંથી મારી જેવો આગમભાખીયો તમારી હાટુ મોકલશે.”


પણ હવે મૂસાના નિયમશાસ્ત્રના બધાય નિયમોનું પાલન કરયા વગર પરમેશ્વર આપણને પોતાની હારે હાસા જાહેર કરે છે. બોવ પેલાથી મૂસાના શાસ્ત્રમાં અને આગમભાખીયાઓની સોપડીમા ઈ લખ્યું છે કે, કેવી રીતે આપડે પરમેશ્વર દ્વારા ન્યાયી બની ગયા છયી.


વળી હરેક માલિકને વિશ્વાસુ થાવુ બોવ જ જરૂરી છે.


આપડા પરભુ ઈસુ મસીહનો હું આભાર માનું છું, જેણે મને સામર્થ આપ્યુ છે, અને એણે મને વિશ્વાસુ હમજીને પોતાની સેવા કરવા હાટુ ગમાડયો છે.


વીતેલા વખતમાં પરમેશ્વરે આપડા વડવાઓ હારે ઘણીયવાર અને જુદી-જુદી રીતે આગમભાખીયાઓ દ્વારા વાત કરી,


ઈસુ પરમેશ્વર પ્રત્યે વિશ્વાસુ હતો જેણે એને નિમણુક કરયો હતો, જેમ મુસા પરમેશ્વરનાં ઘરમાં બધાય લોકોની સેવા કરવામાં વિશ્વાસુ હતો.


કેમ કે, દરેક ઘરને કોયને કોય બનાવનારા હોય છે, પણ પરમેશ્વર જ છે જેણે બધુય બનાવ્યું છે.


જે લોકો સ્વર્ગમાં જે કાય છે એવી વસ્તુઓની મૂર્તિ અને એની જેવી સેવા કરે છે, કેમ કે, જઈ મુસા માંડવા બનાવવાની તૈયારી કરવાનો હતો, તઈ પરમેશ્વરે એને કીધું કે, “જોવ જે નમુનો એને ડુંઘરા ઉપર બતાવ્યો હતો એની પરમાણે બધીય બાબતોની બનાવટ કાળજીથી કર.”


કેમ કે મસીહ હાથે બનાવેલા પવિત્ર જગ્યા કે, જે હાસાયનો નમૂનો છે એમા ગ્યા નથી, પણ સ્વર્ગમાં જ ગયા છે, ઈ હાટુ કે ઈ હમણાં આપણી હાટુ પરમેશ્વરની હામે હાજર થાય.


ઈ એવી રીતેથી એક ગીત ગાતા હતાં જેમ પરમેશ્વરનાં ચાકર મુસાએ બોવ પેલા ગાયુ હતુ. ઈ ઘેટાના બસ્સાનુ ભજન કરવા હાટુ આ પરકારે ગાય: “પરભુ પરમેશ્વર, જે દરેક વસ્તુ ઉપર શાસન કરે છે, તમે જે કાય કરો છો ઈ શક્તિશાળી છે અને અદભુત છે! તમે સદાય ન્યાયી અને હાસુ કામ કરો છો. તમે બધાય મંડળીના લોકો હાટુ સદાય રાજા છો!


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ