11 મેં ગુસ્સામાં આવીને હમ ખાધા કે, તેઓ મારા આરામમાં કોયદી નય આવી હકે.”
પણ આપડે વિશ્વાસ કરનારા પરમેશ્વરનાં વિશ્રામવારે જ આવશું. એણે જેમ કીધું હતું એમ, “મેં ગુસ્સામાં ભરાયને હમ ખાધા કે, તેઓ મારા આરામની જગ્યામાં કોયદી આવી હકશે નય.” જગતની રસના કરી ઈ વખતથી જ એનું કામ પુરુ થયું હોવા છતાય એણે કીધું.
આ બાબત વિષે પાછુ કેવામાં આવ્યું છે કે, “તેઓ મારા આરામમાં કોયદી આવી હકશે નય.”
ઈ હાટુ ન્યા હજી પણ પરમેશ્વરનાં લોકો હાટુ આરામ કરવાનો દિવસ બનેલો છે, તેઓ એવી જ રીતેથી આરામ કરશે જેમ પરમેશ્વરે હાતમાં દિવસે આરામ કરયો.