Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 2:17 - કોલી નવો કરાર

17 ઈ હાટુ એણે, બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થાવુ જરૂરી હતું કે, લોકોના પાપો હાટુ માફીના અરથે ઈ પરમેશ્વર તરફની બધીય બાબતો વિષે તેઓ દયાળુ અને વિશ્વાસુ પ્રમુખ યાજક થાય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 2:17
37 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ હાટુ ઈસુ મસીહથી મારે સંબંધ છે, એના કારણે જ પરમેશ્વરની સેવા ઉપર ગૌરવ કરું છું


કેમ કે, જઈ આપડે પરમેશ્વરનાં વિરોધી હતાં તઈ એના દીકરાના મરણથી પરમેશ્વરની હારે આપડુ સમાધાન થયુ, એથી હવે એના જીવને લીધે આપડો બસાવ ઈ બોવ જ ખાતરીપૂર્વક છે!


વધસ્થંભ ઉપર પોતાના મોત દ્વારા મસીહે બે જુથોને એક કરી દીધા અને એનો મેળાપ પરમેશ્વરની હારે કરાવી દીધો, આ રીતે યહુદીઓ અને બીજી જાતિઓની વશે દુશ્મની મટાડી દીધી.


એનાથી પેલા તમે પરમેશ્વરથી બોવ સેટા હતાં, અને તમે પરમેશ્વરનાં વેરીઓ હતાં કેમ કે, તમારા વિસારો અને કામો ભુંડા હતા.


કેમ કે, આપડો એક મુખ્ય યાજક છે જે પરમેશ્વરનાં ઘરનો અધિકારી છે.


ઈ માણસોને એના પાપથી શુદ્ધ કરે છે, ઈ અને જેને ઈ શુદ્ધ કરે છે, ઈ બધાયનો બાપ એક જ છે. એથી ઈ તેઓને ભાઈઓ કેતા શરમાતા નથી.


કેમ કે, માણસ પરમેશ્વરનો દીકરો છે, જે માસ અને લોહીથી બનેલો છે, ઈ હોતન ઈ જ રીતે તેઓના ભાગીદાર થાય, જેથી ઈ પોતે મરીને મોત ઉપર રાજ કરનારનો, એટલે શેતાનનો નાશ કરે.


કેમ કે, પરભુ ઈસુ તો સ્વર્ગદુતોને નય પણ ઈબ્રાહિમની પેઢીના લોકોને મદદ કરે છે.


ઈ હાટુ હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે જે પરમેશ્વરનાં છો, તમને પરમેશ્વરે સ્વર્ગમાં પોતાની હારે ભાગીદાર થાવા હાટુ બોલાવ્યા છે, ઈ ઈસુ મસીહ ઉપર ધ્યાન રાખો જે આપણને ગમાડેલો ચેલો અને પ્રમુખ યાજક કેય છે.


ઈસુ પરમેશ્વર પ્રત્યે વિશ્વાસુ હતો જેણે એને નિમણુક કરયો હતો, જેમ મુસા પરમેશ્વરનાં ઘરમાં બધાય લોકોની સેવા કરવામાં વિશ્વાસુ હતો.


મુસા તો પરમેશ્વરનાં ઘરના બધાય લોકોને ઈ કેવા હાટુ ચાકરની જેમ વિશ્વાસુ રેય કે, પરમેશ્વર રીતી-રિવાજો અને નિશાની જેમ વાતોનો અરથ આવનારા વખતમાં પરગટ કરશે.


કેમ કે, પરમેશ્વરનાં દીકરા ઈસુ મસીહ જે સ્વર્ગમાં ગયો છે, એવો મુખ્ય યાજક આપણને મળ્યો છે, ઈ હાટુ આપડે જે અપનાવ્યું છે એને મજબુતીથી પકડી રાખી.


કેમ કે, આપડા આયા મોટો પ્રમુખ યાજક આપડી દરેક નબળાય ઉપર દયા કરે છે, પણ ઈ એક જ છે, જે આપડી જેમ દરેક વાતોમાં પરીક્ષણમાં પડયો તોય એણે કોય પાપ કરયુ નય.


કેમ કે, દરેક પ્રમુખ યાજક માણસોમાંથી ગમાડેલો હોવાને લીધે પરમેશ્વર વિષેની વાતોમાં માણસોને હાટુ નીમેલો છે, ઈ હાટુ કે, ઈ પાપોની હાટુ સડાવવામાં આવતાં અર્પણો અને બલિદાન આપે;


અને પરમેશ્વરે એને મેલ્ખીસેદેકની જેમ મોટા પ્રમુખ યાજકના કામો કરવા હાટુ નિમણુક કરયો.


ઈ પોતે પણ નબળાયુથી ઘેરાયેલો છે. જેથી ઈ અજ્ઞાનીઓ હારે દયાભાવથી વરતી હકે છે.


ઈ જ રીતે મસીહે પણ પ્રમુખ યાજક થાવાનું માન પોતે લીધું નય. પણ પરમેશ્વરે એને ઈ માન આપ્યુ અને કીધું, “તું મારો દીકરો છો, આજે હું તારો બાપ બન્યો છું”


ન્યા ઈસુ મસીહ આગેવાન થયને આપડી હાટુ ગયા છે, અને મેલ્ખીસેદેકના નિયમ પરમાણે ઈ સદાયની હાટુ એક પ્રમુખ યાજકની જેમ થયા છે.


કેમ કે, ઈસુની જેવા પ્રમુખ યાજકની આપડે જરૂર હતી, ઈ પવિત્ર, દોષ વગરના, પાપીઓથી નોખા છે, અને જેઓ સ્વર્ગમાંથી ઉસા કરવામાં આવ્યા છે.


કેમ કે, મૂસાના શાસ્ત્રથી નબળા માણસોને પ્રમુખ યાજક નિમણુક કરવામાં આવે છે, પણ ઈ વાયદો જે મુસાના નિયમ પછી આવીને એણે; પરમેશ્વરનાં દીકરાને પ્રમુખ યાજકની જેમ ગમાડીયો, અને ઈ સદાય હાટુ પરિપૂર્ણ બની ગયો છે.


હવે જે વાતો આપડે કય રયા છયી, એનાથી બધાયથી મોટી વાત ઈ છે, કે આપડી પાહે આવો પ્રમુખ યાજક છે, જે સ્વર્ગમાં પરમેશ્વરની મહિમાવાન રાજગાદીની જમણી બાજુ બેઠો છે.


કેમ કે, દરેક પ્રમુખ યાજકને પાપોની માફી હાટુ ભેટ અને બલિદાન સડાવવા નિમણુક કરવામાં આવે છે, આ હાટુ આપડા મુખ્ય યાજકની પાહે પણ કાક સડાવવા હાટુ જરૂરી છે.


પણ હવે મસીહ પ્રમુખ યાજકની જેમ આવ્યો જે નવા કરારની બધીય હારી વસ્તુઓ આપે છે. એણે એવા મહાન અને સિદ્ધ મહાપવિત્ર જગ્યામાં પ્રવેશ કરયો છે, જે લોકોએ બનાવ્યુ નથી અને જે આ પૃથ્વીનો નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ