1 જેથી જે વાતો આપણને હાંભળવામાં આવી એનાથી આપડે કોયદી છેટા જાયી નય, ઈ હાટુ એની ઉપર આપડે વધારે કાળજીથી ધ્યાન આપવું જોયી.
શું હજી હુધી તમે નથી હમજતા કે, પેલા પાંસ હજાર માણસોને વિષે પાંસ રોટલીને તમે કેટલી ટોપલી ઉપાડી, ઈ શું તમને યાદ નથી?
શું તમારી આખું આધળી અને કાન બેરા છે? અને શું તમને યાદ નથી?
પણ જે બી હારી જમીન ઉપર પડયું છે, ઈ એવુ બતાવે છે કે, લોકો પરમેશ્વરનું વચન હાંભળીને તેઓના હ્રદયમાં હારી રીતે અને માનપૂર્વક અપનાવે છે. તેઓ વિશ્વાસ કરવામા અને વચન પાળવામાં મજબુત છે, જેથી તેઓને કોશિશ કરવાથી વારેઘડીયે હારું ફળ આપે છે.
આ વચનો તમે ધ્યાનથી હાંભળો અને મનમા ઉતારવા દયો કેમ કે, “હું, માણસના દીકરાને વેરીઓના હાથમાં હોપાયશે.”
તઈ તેઓએ ઈસુને મારવા હાટુ પાણો હાથમાં લીધો, પણ ઈ હતાઈને મંદિરથી નીકળી ગયો.
પોતાના દીકરા તરીકે પરમેશ્વર તમને જે પ્રોત્સાહનના વચનો કેય છે, ઈ શું તમે ભુલી ગયા છો!
ઈ હાટુ હું આ વાતોને અત્યારે લખાણ દ્વારા તમને આ બતાવવા હાટુ કઠણ મેનત કરી રયો છું, જેથી મારા મોત પછી તમે દરેક વખતે એને યાદ રાખી હકો.
વાલાઓ, આ હવે બીજો પત્ર છે જે મે તમને લખ્યો છે. આ બેયમાં તમારા શાંત મગજને ઉત્તેજન કરવા હાટુ યાદગીરી છે.