Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 13:20 - કોલી નવો કરાર

20 હવે શાંતિ આપનાર પરમેશ્વર, જે આપડા ઘેટાના મોટા રખેવાર આપડા પરભુ ઈસુને સદાય કરારના લોહીથી મરેલાઓમાંથી પાછા જીવતા કરયા,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 13:20
53 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે, આ નવા કરારનું મારું લોહી છે, જે ઘણાય બધાના પાપોની માફીને હાટુ વહેવડાવવામાં આવે છે.


એણે તેઓને કીધુ કે, “આ દ્રાક્ષરસ મારું લોહી છે. મારું લોહી કેટલાય લોકો હાટુ બલિદાનની જેમ વહેડાવવામાં આયશે. આ ઈ કરારને સાબિત કરશે જે પરમેશ્વર પોતાના લોકો હારે બનેલું રેય છે.


આજ પરમાણે ખાવાનું ખાધા પછી ઈસુએ એક દ્રાક્ષના રસનો પ્યાલો લીધો અને કીધુ કે, “આ પ્યાલો મારા લોહી દ્વારા કરેલો નવો કરાર છે જે તમારી હાટુ વહેડાવવામાં આવે છે.”


હારો સરાવનારો હું છું, હારો સરાવનારો પોતાના ઘેટા હાટુ જીવ દય દેય છે.


હારો સરાવનારો હું છું અને પોતાના ઘેટાને ઓળખું છું અને મારા પોતાના ઘેટા મને ઓળખે છે એવી જ રીતે બાપ મને ઓળખે છે અને હું બાપને ઓળખું છું, અને હું મારા ઘેટાઓની હાટુ મારો જીવ આપું છું


પણ પરમેશ્વરે એને મરેલામાંથી પાછો જીવતો કરી દીધો,


કેમ કે, એણે એક દિવસ ઠેરવો છે, જેનાથી ઈ એના માણસના દ્વારા હાસાયથી જગતનો ન્યાય કરશે, જેને એણે ઠેરવો છે, અને એને મરણમાંથી જીવતા કરીને, ઈ વાતને સાબિત કરીને બધાય લોકોને બતાવી દીધુ છે.”


તોય પરમેશ્વરે એને મોત પછી પાછો જીવતો કરી દીધો. એને એણે મોતની તાકાતથી છુટ્ટો કરયો, કેમ કે, તેઓ ઈસુને મોતની હાટુ પોતાના કાબુમાં રાખી હકતા નથી.


ઈ ઈસુને પરમેશ્વરે મરેલામાંથી જીવાડીયો, એના અમે બધાય સાક્ષી છયી.


અને તમને જેણે અનંતજીવન દીધુ છે, એને તમે મારી નાખ્યો, જેને પરમેશ્વરે મરણમાંથી પાછો જીવતો કરયો હતો, અને ઈ વાતના અમે સાક્ષી છયી.


તો તમે બધાય હજી પણ ઈઝરાયલ દેશના લોકોને જાણી લ્યો કે, આ નાઝરેથ ગામના ઈસુ મસીહના નામથી કરવામા આવ્યો છે, જે ઈસુને તમે એને વધસ્થંભ ઉપર સડાવી દીધો હતો, પણ પરમેશ્વરે એને મરણમાંથી પાછો જીવતો કરી દીધો, આજે ઈ જ નામથી આ માણસ તમારી હામો હાજો ઉભો છે.


આપડા વડવાના પરમેશ્વરે ઈસુને મરણમાંથી પાછો જીવતો કરી દીધો છે, જેને તમે વધસ્થંભ ઉપર સડાવી દીધો હતો.


પણ પવિત્ર આત્માની સામર્થ દ્વારા મરેલામાંથી જીવતા ઉઠવાના પરાક્રમ હારે પરમેશ્વરનો દીકરો મસીહ ઠરાવામા આવ્યો,


કા એમ કે, મસીહને મરણમાંથી જીવતો કરવા હાટુ અધોલોકમાં કોણ ઉતરશે?


હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર, શાંતિ દેનાર તમારી બધાયની હારે રેય. આમીન.


શાંતિનો પરમેશ્વર જલ્દીથી શેતાનની તાકાતને નાશ કરીને એને તમારી આધીન કરી દેહે. આપડા પરભુ ઈસુ મસીહની કૃપા તમારી ઉપર થાતી રેય.


અને જો પરમેશ્વરનો આત્મા જેણે ઈસુને મરણમાંથી જીવાડ્યો, તમારામા વસેલો છે, તો એણે મસીહને મરણમાંથી જીવતો કરયો ઈ તમારા મોત પામનાર દેહને પણ પોતાની આત્મા દ્વારા જે તમારામા રેય છે ઈ જીવાડશે.


કેમ કે, પરમેશ્વર અવ્યવસ્થાના નથી, મેળ કરાવવા અને શાંતિનો પરમેશ્વર છે, આજ નિયમ પરમેશ્વરનાં લોકોની દરેક મંડળીઓમાં પાલન કરવામાં આવે છે.


જો મડદાને જીવતો કરવામાં આવતો નથી, તો આપણે ઈ કયને પરમેશ્વરને પારખ્યો છે કે, એણે મસીહને જીવતો કરયો હતો, પણ ખરેખર એણે એવું કરયુ નય.


એના બદલે, આપડુ દેહ મહત્વનું છે કેમ કે, જેવી રીતે પરમેશ્વરે પરભુ ઈસુને મરણમાંથી જીવતા કરવા હાટુ પોતાના સામર્થનો ઉપયોગ કરયો હતો, ઠીક એવી જ રીતે ઈ આપણને પણ મરણમાંથી જીવાડશે.


છેલ્લે વિશ્વાસી ભાઈઓ અને બહેનો, રાજી રયો, સિદ્ધ બનતા જાવો, અને મારી સલાહને હાંભળો, એક જ મન રાખો, મેળ રાખો અને પ્રેમ અને શાંતિનો દાતાર પરમેશ્વર તમારી હારે રેહે.


કેમ કે આપણે પરમેશ્વરને ઓળખીએ છયી કે, જેણે પરભુ ઈસુને મરેલામાંથી પાછા જીવતા કરયા, તેઓ આપણને પણ ઈસુના ભાગીદાર હમજીને પાછા જીવતા કરશે, અને પોતાની હામે ઉભા થાવા હાટુ અમને તમારી હારે જ્યાં પરમેશ્વર છે ન્યા લીયાયશે.


હું પાઉલ જે એક ગમાડેલો ચેલો છું, હું માણસો દ્વારા નથી પણ હું આપડા ઈસુ મસીહ અને જેને મરણમાંથી જીવતો કરનાર પરમેશ્વર બાપ દ્વારા એક ગમાડેલો ચેલો થાવા હાટુ ગમાડવામાં આવેલો છે.


જેણે મસીહને મરણમાંથી જીવતો ઉઠાડયો અને એને સ્વર્ગમાં પરમેશ્વરનાં જમણા હાથ બાજુ માનની જગ્યાએ બેહાડયો છે.


જે વાતો તમે મારાથી સીખી, મેળવી, હાંભ્ળી અને મારામાં જોય, ઈ વાતોનું પાલન કરો, તઈ શાંતિનો પરમેશ્વર તમારી હારે રેહે.


કેમ કે, જઈ તમે જળદીક્ષા લીધી તઈ મસીહની જેમ દાટી દીધો હતો અને નવા સ્વભાવ હારે મસીહની જેમ જીવતો કરયો હતો. એવુ ઈ હાટુ થયુ કેમ કે, તમે વિશ્વાસ કરયો કે, પરમેશ્વરે પોતાના સામર્થ દ્વારા મસીહને મારવા પછી ફરીથી જીવતો કરી દીધો.


અને તમે કેવી રીતે પરમેશ્વરનાં દીકરાને સ્વર્ગથી પાછા આવવાની રાહ જોય રયા છો, જેને પરમેશ્વરે મરેલામાંથી પાછો જીવતો કરયો કા ઈસુને, જે પરમેશ્વરનાં આવનાર ગુસ્સાથી આપણને બસાવે છે.


હવે શાંતિનો પરમેશ્વર પોતે તમને પુરી રીતે પવિત્ર કરે આપડા પરભુ ઈસુ મસીહના પાછા આવતાં હુંધી તમારો આત્મા અને પ્રાણ અને દેહ પુરેપુરી રીતેથી નિરદોષ રાખવામાં આવે.


હવે પરભુ જે શાંતિ દેનારો છે, પોતે જ તમને સદાય અને દરેક પરકારથી શાંતિ આપે, અને પરભુ સદાય તમારી બધાયની હારે રેય.


મસીહના લોહીના છટકાવ દ્વારા આપડા હ્રદયનો આરોપ દુર થય ગ્યો છે અને આપડા દેહને સોખા પાણીથી ધોવા દ્વારા આપડે તૈયાર કરયુ છે. ઈ હાટુ હાલો હવે આપડે હાસા હ્રદય અને પુરા વિશ્વાસથી પરમેશ્વરની પાહે જાયી.


જો મુસાના નિયમ પરમાણે એવી સજા આપવામાં આવતી હતી, તો જે પરમેશ્વરનાં દીકરાનો નકાર કરે છે, અને જે પરમેશ્વરનાં દીકરાને પોતાના પગની નીસે કસડી નાખે છે, અને કરારના તે મસીહના લોહીથી પોતાને પવિત્ર કરવામાં આવ્યા હતા એને અશુદ્ધ ગણે છે, અને પવિત્ર આત્મા દ્વારા કૃપા મેળવી છયી એનો નકાર કરે છે એની સજા એનાથી પણ બોવ વધારે હશે.


પછી એણે તેઓને કીધું કે, “આ લોહી પરમેશ્વરે તમને જે આજ્ઞા પાળવાનું કીધું હતું ઈ કરારની સાબિતી છે.”


મસીહે જે કાય કરયુ છે, એની લીધે તમે પરમેશ્વર ઉપર ભરોસો કરી રયા છો, જેણે મસીહને મોતમાંથી પાછો જીવતો કરી દીધો, એને બોવ જ માન દીધુ ફળ સ્વરૂપે પરમેશ્વર ઈ જ છે, જેની ઉપર તમે ભરોસો કરી રયા છો અને આશા રાખો છો કે ઈ તમારી હાટુ મહાન કામ કરશે.


હાસીન તમે ઈ ઘેટાની જેવા હતાં, જે ખોવાય ગયા હતાં, પણ હવે તમે આત્માના ભરવાડ એવા ઈસુની પાહે પાછા આવ્યા છો, જે એક આગેવાન ભરવાડની જેમ પોતાના ઘેટાઓની હંભાળ રાખે છે.


જઈ ઈસુ મસીહ જે આપડો મુખ્ય સરાવનાર છે, ઈ પાછો આયશે, તઈ તમને ઈ એક સુંદર મુગટ આપશે, જે કોય દિ પોતાની સમક ગુમાવશે નય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ