Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 13:16 - કોલી નવો કરાર

16 ભલાય કરવી, અને જરૂરીયાતવાળાને મદદ કરવાનું નો ભૂલો, કેમ કે આવા બલિદાનો દ્વારા પરમેશ્વર રાજી થાય છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 13:16
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ આ હાંભળીને એને કીધુ કે, “હજી તારે એક વધારે કામ કરવાની જરૂર છે, તારી પાહે જે કાય છે, ઈ વેસીને રૂપીયા ગરીબોને આપી દે, જેથી સ્વર્ગમા તને એનો બદલો મળશે, અને મારો ચેલો બનીજા.”


પરમેશ્વરે કેવી રીતે નાઝરેથ ગામના ઈસુને પવિત્ર આત્મા અને સામર્થથી અભિષેક કરયો, ઈ ભલાય કરતો અને શેતાનથી સંતાવેલા લોકોને હાજા કરતો ફરતો કેમ કે, પરમેશ્વર એની હારે હતો.


જોપ્પા શહેરમાં તાબીથા નામની એક વિશ્વાસી બાય હતી, (ગ્રીક ભાષામાં એનુ નામ દરકાસ એનો અરથ હરણી છે) ઈ બોવ ભલાયના કામો અને ગરીબ લોકોને મદદ કરતી હતી.


પરમેશ્વરનાં લોકોને જે કાય જરૂરી હોય, એમા તેઓની મદદ કરો, મેમાનનો આવકાર કરવા તમારા ઘર ખુલ્લાં રાખો.


ઈ હાટુ જ્યાં હુધી આપણને તક મળી રેય છે, આપડે બધાય લોકોની હારે ભલાય કરી, પણ ખાસ કરીને આપડે જે હારું છે ઈ આપડા વિશ્વાસીયો હાટુ કરવુ જોયી.


મસીહ સંદેશાનું શિક્ષણ લેતા માણસે પોતાના શિક્ષકને બધીય હારી બાબતોમાંથી હિસ્સો આપવો જોયી.


સોરી કરનારો ફરીથી સોરી નો કરે; પણ ઈ મેનત કરે કે, તે પોતાના હાથથી કરેલા ઉપયોગી કામો દ્વારા બીજા લોકોની પણ મદદ કરી હકે, જેને કોય પરકારની જરૂર છે.


તો પણ તમે મને મુશ્કેલીમાં મદદ કરીને મારા સંકટમાં ભાગીદાર થયને ભલું કરયુ.


મારી પાહે બધીય વસ્તુઓ છે; અને ઈય ઘણુય છે. તમારુ દાન એપાફ્રોદિતસની મારફતે મને મળ્યું છે. એથી હું સમૃદ્ધ છું ઈ તો સુગંધી ધૂપ પરમેશ્વરને ગમતું માન્ય બલિદાન છે.


તમે આ વાતનું ધ્યાન રાખો કે, કોય પણ તમારી હારે ખરાબ કરે તો એના બદલે ખરાબ નો કરો, પણ કાયમ તમે એકબીજાની અને બધાયની ભલાય કરવા હાટુ કોશિશ કરો.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે બીજાની ભલાય હાટુ હારા કામો કરતાં રયો.


હારા કામો કર, અને બોવ જ ઉદારતાથી હારા કામો કરવામા, અને જેને જરૂર છે તેઓની ઉદારતાથી મદદ કરવા હાટુ સદાય તૈયાર રેજે.


હું પ્રાર્થના કરું છું કે, વિશ્વાસીઓની હારે તારી જે સંગતી છે, તારી આ બધીય હારી વાતો જાણવા દ્વારા જે પરમેશ્વરે આપણને આપી છે, વધતી જાય. આ બધીય મસીહની મહિમાના લીધે થાવ.


કેમ કે પરમેશ્વર તમારા કામ અને એના પોતાના નામ પ્રત્યે; તમે જે પ્રેમ બતાવ્યો છે, લોકોની જે સેવા કરી છે અને હજી કરો છો એને ભુલી જાય એવા અન્યાયી નથી.


હે વાલા મિત્રો ઈ લોકોની નકલ નો કરો જે ખરાબ કામો કરે છે, પણ ઈ લોકો જેવા બનો જેઓ ભલું કામ કરે છે, જો કોય હારું કામ કરે છે ઈ પરમેશ્વર તરફથી છે, પણ જો કોય ખરાબ કામ કરે છે ઈ પરમેશ્વરને નથી ઓળખતા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ