Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ગલાતીઓને પત્ર 6:3 - કોલી નવો કરાર

3 જો કોય વિસારે છે કે, ઈ એક મોટો માણસ છે, જો કે ખરેખર ઈ નથી, પણ આવું વિસારીને ઈ પોતાને દગો દેય છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ગલાતીઓને પત્ર 6:3
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

ફરોશી ટોળાનો માણસ ઉભો થયને, મનમા પ્રાર્થના કરવા મંડ્યો કે, “ઓ પરમેશ્વર, હું તારો આભાર માનું છું કેમ કે, હું બીજા માણસોની જેમ જુલમી, અન્યાયી, છીનાળવો અને આ વેરો ઉઘરાવનારાની જેવું કરતો નથી.


કેમ કે, થોડાક દિવસ પેલા થ્યુદા નામનો માણસ આવ્યો, અને આવું કેતોતો કે, હું મોટો માણસ છું, ઈ હાટુ સ્યારસો માણસો ટોળામાં ગયા, પણ એને મારી નાખવામાં આવ્યા, અને જેટલા લોકો એને માનતા હતાં, ઈ બધાય વેર વિખેર થયને ભાગી ગયા.


અંદરો-અંદર એક મનના થાવ; અભિમાન નો કરો, પણ સામાન્ય લોકો હારે સંગત રાખો. તમે જ બુદ્ધિમાન સો એવુ નો હંમજો.


કેમ કે, હું ઈ કૃપાના કારણે જે મને મળી છે, તમારામાથી દરેકને કહુ છું કે, જેવી રીતે હંમજવુ જોયી, એનાથી વધારે કોય પણ પોતાની જાતને નો હંમજે, પણ જેમ પરમેશ્વરે તમને જેટલો વિશ્વાસ આપ્યો છે એની પરમાણે નમ્રતાથી હમજે.


જો મને ઉપદેશ કરવાનું વરદાન હોય, અને હું બધાય મરમો અને બધીય વિદ્યા જાણતો હોવ, અને હું ડુંઘરાઓને ખહેડી હકુ છું, એવો પુરો વિશ્વાસ મારામાં હોય, પણ મારામાં પ્રેમ હોય નય, તો હું કાય પણ નથી.


ભૂલમાં નો રયો. જો તમારામાંથી કોય ઈ વિસારમાં બેઠો છે કે, ઈ જગતની વાતો પરમાણે બુદ્ધિશાળી છે, તો હાસુ ઈ થાહે કે, ઈ પોતાને મુરખ બનાવી લેય કે, ઈ બુદ્ધિશાળી બની જાહે.


જો તમારામાંથી કોય એમ વિસારે કે, ઈ કાક જાણે છે તો ઈ ખરેખર કાય જાણતો નથી જેમ ઈ જાણવા માગે છે.


હું અભિમાન કરીને મુરખ થયો છું, કેમ કે તમે મને એવું કરવા ફરજ પાડી; પણ તમારે મારા વખાણ કરવા જોયી કેમ કે, જો હું કાય નો હોવ તો પણ હું મુખ્ય ગમાડેલા ચેલાઓથી કોય પણ વાતમાં ઉતરતો નથી.


આપડે એમ નથી કેતા કે, આપડી પોતાની પાહે ગમે ઈ કરવાની લાયકાત છે. પણ આ લાયકાત પરમેશ્વર તરફથી આપણને મળી છે.


યરુશાલેમની મંડળીના ઈ આગેવાનોએ મારા શિક્ષણમાં કાય પણ નથી જોડયું. મને આ વાતથી કાય ફરક નથી પડતો કે, ઈ આગેવાનો કોણ છે કેમ કે, પરમેશ્વર બારનું રૂપ જોયને ન્યાય નથી કરતો.


જઈ યાકુબ, પિતર અને યોહાન પીલોર જેવા ગણાતા હતા, જઈ મને પ્રાપ્ત થયેલી કૃપા તેઓએ જાણી, તેઓએ મારો અને બાર્નાબાસનો ગમાડેલો ચેલા તરીકે સ્વીકાર કરયો, કે જેથી અમે બિનયહુદીઓની પાહે જાયી અને તેઓ સુન્‍નતી લોકોની પાહે જાય.


પણ ભુંડા અને દગો દેનારા માણસો તો વધારેને વધારે ભુંડા થાતા જાહે અને બીજાને છેતરવા જાતા તેઓ પોતે જ છેતરાય જાહે.


પરમેશ્વરનાં વચનને ખાલી હાંભળનારા બનીને પોતાની જાતને દગો નો આપો, પણ વચનને માનનારા બનો.


જેથી કોય પોતાની જાતને ભગત હમજે છે, પણ પોતાની જીભ ઉપર લગામ નો રાખે, તો ઈ પોતાની જાતને દગો આપે છે અને એની ભગતી નકામી છે.


જો આપડે કેયી કે આપડામાં કોય પણ પાપ નથી; તો આપડે પોતાને દગો આપીએ છયી અને આપડે ઈ હાસ ઉપર વિશ્વાસ નથી કરતાં જે પરમેશ્વર કેય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ