1 પણ મને આ દાખલા દ્વારા હમજાવવા દયો કે, એક રૂપીયાવાળા માણસનો એક દીકરો છે. જ્યાં હુધી ઈ એક બાળક છે, ન્યા હુધી એમા અને એક ચાકરની વસે કોય અંતર નથી, જો કે ઈ પોતાના બાપની બધીય મિલકતનો માલીક બનશે.
કેમ કે, તમે મસીહની હારે એકતામાં છો, તો હવે તમે ઈબ્રાહિમના પરિવારનો ભાગ છો અને તમે એના વારસદાર છો અને તમને ઈ બધુય મળશે જેનો પરમેશ્વરે ઈબ્રાહિમ હારે અને આપડી હારે વાયદો કરયો હતો.
ઈ ન્યા હુધી માવતર અને દેખરેખ રાખનારાનાં અધિકારને આધીન રેય છે જ્યાં હુધી ઈ ઉમર હુધી નથી પુગી જાતો જઈ ઈ માલીક બની જાહે. ઈ ઉમર એના બાપ દ્વારા નક્કી કરવામાં આવી છે.
પણ એક જે ચાકરડીનો દીકરો, માણસ જાતિની ઈચ્છા પરમાણે કોય પણ સામાન્ય બાળકની જેમ પેદા થયો હતો, પણ ઈ દીકરો જે એની બયડીથી પેદા થયો હતો ઈ ઈબ્રાહિમની હારે પરમેશ્વરનાં વચનનું પાલન કરતાં થયો હતો.
પણ હવે તમને ઈ લોકો દ્વારા સતાવવામાં આવી રયા છે જે ઈચ્છે છે કે, તમે શાસ્ત્રનું પાલન કરો, એમ જ જેમ ઈસ્માએલે એટલે કે, માણસના પ્રયાસથી પેદા થયેલ બાળકે ઈસહાકને એટલે કે, આત્માના સામર્થ્યથી પેદા થયેલા બાળકને સતાવ્યો.
જે પરમેશ્વરનો દીકરો ઈસુ ઉપર વિશ્વાસ કરે છે, ઈ જાણે છે કે, પરમેશ્વરે જે કાય કીધું છે ઈ હાસુ છે. પણ જેણે પરમેશ્વર ઉપર વિશ્વાસ નથી કરયો, એણે પરમેશ્વરને ખોટો ગણયો કેમ કે, એણે સાક્ષી ઉપર વિશ્વાસ નથી કરયો, જે પરમેશ્વરે પોતાના દીકરાની વિષે આપી છે.