29 કેમ કે, તમે મસીહની હારે એકતામાં છો, તો હવે તમે ઈબ્રાહિમના પરિવારનો ભાગ છો અને તમે એના વારસદાર છો અને તમને ઈ બધુય મળશે જેનો પરમેશ્વરે ઈબ્રાહિમ હારે અને આપડી હારે વાયદો કરયો હતો.
તમે ખાલી આજ વાતોને જોવ છો, જે આંખુની હામે દેખાય છે, જો કોયને પોતાની ઉપર આવો ભરોસો હોય કે, ઈ મસીહનું છે, તો આ પણ હમજી લેય કે, જેવું ઈ મસીહનું છે, એમ જ આપડે પણ મસીહના છયી.
હવે પરમેશ્વરે ઈબ્રાહિમથી વાયદો કરયો કે, “દરેક તારા વંશ દ્વારા આશીર્વાદ પામશે.” એણે આ નથી કીધું કે, તારા વંશ દ્વારા એટલે ઘણાય લોકો, ઈ એક માણસના વિષે વાતો કરે છે, જઈ ઈ કેય છે કે, “તારા વંશ દ્વારા” એટલે એક માણસ ઈ મસીહ છે.
જો પરમેશ્વરે જે વાયદો કરયો છે એને મેળવવા હાટુ આપડે મુસાના શાસ્ત્રનું પાલન કરવાનું છે, તો એનો અરથ આ છે કે, આપડે ઈ કૃપા પરમેશ્વરનાં વાયદાના કારણે નથી મળી. પણ પરમેશ્વરે ઈબ્રાહિમને ઈ આશીર્વાદ ઈ હાટુ દીધો કેમ કે, એણે પેલા એને વાયદો કરયો હતો.
મસીહમાં એક યહુદી કા બિનયહુદી, એક દાસ, કા એક આઝાદ માણસની વસ્સે કોય ભેદભાવ નથી. આમાં પણ કોય ભેદભાવ નથી કે, તમે એક માણસ છો; કે બાય છો. આપડે બધાય ઈસુ મસીહમાં એક હરખા છયી.
પણ મને આ દાખલા દ્વારા હમજાવવા દયો કે, એક રૂપીયાવાળા માણસનો એક દીકરો છે. જ્યાં હુધી ઈ એક બાળક છે, ન્યા હુધી એમા અને એક ચાકરની વસે કોય અંતર નથી, જો કે ઈ પોતાના બાપની બધીય મિલકતનો માલીક બનશે.
ઈ હાટુ, હવે આપડે ચાકર નથી, પણ આપડે પરમેશ્વરનાં દીકરા બની ગયા છયી. જો આપડે પરમેશ્વરનાં બાળકો છયી, તો ઈ આપણને ઈ બધુય આપશે; જે કાય એની પાહે એના બાળકો હાટુ છે.
ઈ પરમેશ્વરની યોજના છે, હારા હમાસાર પરમાણે પરમેશ્વરનાં આશીર્વાદોમાં યહુદીઓની હારે બિનયહુદીઓને પણ ભાગ મળ્યો છે. તેઓ એક જ દેહના અંગો છે અને મસીહ ઈસુમાં પરમેશ્વરે આપેલા વરદાનના ભાગીદાર બન્યા છે.
તો પછી સ્વર્ગદુતો કોણ છે? તેઓ તો પરમેશ્વરની સેવા કરનાર આત્માઓ છે અને પરમેશ્વરે તેઓને તારણ પામનારાઓની સેવા કરવા મોકલી આપ્યા છે; જેમ એણે તેઓની હારે વાયદો કરાયો હતો.
જઈ નૂહે જે બાબત હજી હુંધી જોય નોતી, ઈ વિષે સેતવણી પ્રાપ્ત કરીને અને પરમેશ્વરની બીક રાખીને, વિશ્વાસથી પોતાના પરિવારના તારણ હાટુ વહાણ તૈયાર કરયુ, જેથી એણે જગતને અપરાધી ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું છે, એનો ઈ વારસ થયો.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, પરમેશ્વરે જગતના ગરીબ લોકોને ગમાડયા, જેથી વિશ્વાસમા મજબુત બને અને ઈ રાજ્યના વારસદાર બને, જેનો વાયદો પરમેશ્વરે એનાથી પ્રેમ કરનારાઓ ઉપર કરયો છે.