Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ગલાતીઓને પત્ર 1:6 - કોલી નવો કરાર

6 હું સોકી ગયો છું કે, પરમેશ્વરે જેણે તમને મસીહની કૃપા દ્વારા પોતાના લોકો થાવા હાટુ બોલાવ્યા. એથી તમે ઉતાવળથી ભટકીને એક જુદા હારા હમાસાર સ્વીકાર કરવા હાટુ અને તમે એની જેમ કરવા લાગ્યા છો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ગલાતીઓને પત્ર 1:6
33 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને ઈસુ તેઓના અવિશ્વાસ ઉપર નવાય પામ્યો, એની પછી, ઈસુ આજુ-બાજુના ગામડામાં ગયો અને લોકોને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસારનો પરચાર કરતો ફરયો.


ઈ માણસે જવાબ દીધો કે, “આ તો નવાયની વાત છે કે, એણે મને જોતો કરયો છે, અને તમે ઈ પણ નથી જાણતા કે, ઈ ક્યાંથી આવ્યો છે.


આવું કરવુ ઠીક છે જ નય, પણ આપડો તો ઈ વિશ્વાસ છે કે, જેવી રીતેથી આપડે પરભુ ઈસુની કૃપાથી તારણ પામશું, એવી રીતેથી ઈ હોતન તારણ પામશે,” નો કે, મુસાનાં નિયમોનું પાલન કરવાથી.


કેમ કે, પરમેશ્વરની હારે ન્યાયીપણામાં આવવાનો મારગ તેઓ જાણતા નથી. પોતાના મારગ ઉપર હાલતા તેઓ પરમેશ્વરનાં મારગને આધીન થાતા નથી.


આપડા વિશ્વાસના કારણે, મસીહ આપણને આ કૃપામાં લીયાવો છે જ્યાં આપડે હવે ઉભા છયી, અને આપડે આશા અને આંનદની હારે પરમેશ્વરની મહિમામાં ભાગીદાર થાવાની આશા જોયી છયી.


અને આપડે જાણી છયી કે, પરમેશ્વર ઈ લોકોની હાટુ બધીય વસ્તુઓને એક હારા અંત ઉપર લીયાવે છે જે એને પ્રેમ કરે છે એટલે કે, તેઓના હાટુ, જેને એણે પોતાની ઈચ્છા પરમાણે ગમાડીયા છે.


પછી જેને પરમેશ્વરે પેલાથી જ પાકુ કરી લીધું, એને ગમાડી લીધો, અને જેને ગમાડયો, એને ન્યાયી પણ જાહેર કરયો છે, અને જેને ન્યાયી જાહેર કરયો છે, એને મહિમા પણ દીધી છે.


ભલે તમને મસીહમાં દસ હજાર શિક્ષકો હોવ, તો ઈ તમારા ઘણાય બાપ નથી; કેમ કે મસીહ ઈસુમાં, હારા હમાસાર દ્વારા હું તમારો બાપ બન્યો છું.


કેમ કે, જો કોય આવીને જે ઈસુનો અમે પરચાર કરયો, એનાથી જુદા જ ઈસુનો પરચાર કરે કે, પછી તમે જે આત્મા મેળવ્યો, એનાથી જુદો જ આત્મા મેળવો, કે, પછી જે હારા હમાસારને તમે પેલા સ્વીકારો, એનાથી જુદા જ હારા હમાસાર સ્વીકારો; તો તમે એને ખુબ જ હારી રીતે સહન કરો છો.


કેમ કે, આપડે બધાય ઈ લોકોની જેમ નથી જે રૂપીયા હાટુ પરમેશ્વરનાં વચનનો પરચાર કરી છયી, પણ આપડે પરમેશ્વરનાં વચનનો પરચાર હાસાય અને મસીહના અધિકારથી કરી છયી, આ જાણતા હોવા છતા પરમેશ્વર આપણને જોય રયા છે.


ભાઈઓ અને બહેનો, હું તમને જણાવું છું કે, જે હારા હમાસાર મે હંભળાવા છે, ઈ માણસોએ બનાવેલા નથી.


પણ તઈ પરમેશ્વરે ગમાંડયું કે, પોતાના દીકરાને મારી ઉપર પરગટ કરે, જેથી હું બિનયહુદીઓની વસે ઈસુના હારા હમાસાર વિષે પરચાર કરી હકુ. પરમેશ્વર જ છે જેણે મને પેદા થાવાના પેલાથી જ ગમાડી લીધો, અને પોતાની કૃપાના કારણે એણે મને એની સેવા કરવા હાટુ બોલાવ્યો. જઈ ઈસુએ પોતાની જાતને મારી ઉપર પરગટ કરી, તઈ હું સલાહ લેવા હાટુ કોયની પાહે નોતો ગયો.


ખાલી એક જ હાસા હારા હમાસાર છે. પણ કેટલાક લોકો તમારા મગજને હેરાન કરવા માગે છે અને મસીહના હારા હમાસારને બદલવા માગે છે.


પણ જઈ મેં જોયું કે, તેઓ ખરેખર હાસનું પાલન નથી કરી રયા. જે હારા હમાસાર શીખવાડે છે. તો મે બધાયની હામે પિતરને કીધું કે, જો તું એક યહુદી થયને, બિનયહુદીઓના રીતી-રિવાજોનું પાલન કરશો અને યહુદીઓના રીતી-રિવાજોનું પાલન નથી કરી રયો, જો તું એક યહુદી થયને આવું કર છો, તો પછી તું બિનયહુદીઓને આપડા યહુદીઓના રીતી-રિવાજોનું પાલન કરવા હાટુ જોર હુકામ દેશો?


પણ હું ન્યા ગયો કેમ કે, પરમેશ્વરે મને દર્શન આપ્યુ હતું કે, મારે ન્યા જાવું જોયી અને જઈ હું ન્યા હતો તો હું આગેવાનોને વ્યક્તિગત રીતે મળ્યો અને તેઓને ઈ હારા હમાસાર વિષે બતાવ્યું જે હું બિનયહુદીઓની વસે પરચાર કરી રયો હતો, જેથી જે હું કરી રયો હતો કા જે હું કરવાનું સાલું રાખતો હતો જેથી એનું પરિણામ નો જાય.


પણ અમે તેઓને ઘડીકમાં આધીન થયા નય કે, જેથી હારા હમાસારની હાસાય તમારી હારે રેય.


પણ ઊલટું, જઈ તેઓએ જોયું કે, જેમ પિતરને સુન્‍નતીઓની હાટુ હારા હમાસાર હોપેલા છે, એમ મને બેસુન્‍નતીઓની હાટુ હોપેલા છે,


કેમ કે, આખુ નિયમશાસ્ત્ર એક જ વચનમાં પુરૂ થાય છે, એટલે કે, “જેમ તમે પોતાના ઉપર પ્રેમ રાખો છો એમ તમારા પડોસી ઉપર પ્રેમ રાખો.”


જો તમે મુસાના નિયમશાસ્ત્રનું પાલન કરીને ન્યાયી ઠરવા માગો છો, તો તમે પોતાની જાતને મસીહથી નોખા કરી રયા છો. એણે પરમેશ્વરની કૃપાથી પોતાનું મોઢું ફેરવી લીધું છે.


અમારા બતાવેલા હારા હમાસાર દ્વારા પરમેશ્વરે તમને બસાવવા હાટુ બોલાવા કે, તમે અમારા પરભુ ઈસુ મસીહની મહિમામાં સહભાગી થય હકો.


અમારા પરભુ ઈસુએ એક ધારી મારી ઉપર પોતાની ભરપૂર કૃપા દેખાડી. એણે મને વિશ્વાસ અને પ્રેમ આપ્યુ કેમ કે, હું મસીહની હારે ભળી ગયો.


હે તિમોથી મે તને એફેસસ શહેરથી મકદોનિયા પરદેશમા જાતી વખતે વિનવણી કરી હતી કે, તુ એફેસસ શહેરમાં રયને ઈ ખોટા શિક્ષણ દેનારાને આજ્ઞા આપ કે, તેઓ લોકોને ખોટુ શિક્ષણ આપે નય.


કેમ કે, પરમેશ્વરે આપડુ તારણ કરયુ છે, અને પવિત્ર જીવન જીવવા હાટુ બોલાવીયા છે. ઈ આપડા હારા કામ કરવા હાટુ નય, પણ એની યોજના અને એની કૃપા પરમાણે છે, પરમેશ્વરે આ જગતને બનાવ્યા પેલા જ, મસીહ ઈસુને દુનિયામાં મોકલીને પોતાની કૃપાથી આપણને બસાવાની યોજના બનાવી લીધી હતી.


ઈ હાટુ હે મારા દીકરા તિમોથી, જે કૃપા ઈસુ મસીહે તારી ઉપર કરી છે એમા વધતો જા.


એની કરતાં, પરમેશ્વરની જેમ, ઈ જે તમને પવિત્ર થાવા હાટુ ગમાડીયા, જે ભુંડાયથી જુદો છે, તમારેય પોતાને દરેક ભુંડાયથી જુદુ થાવુ જોહે એની જેવા દરેક કામ જે તમે કરો છો.


પરમેશ્વરે પોતાના સામર્થ્ય દ્વારા આપણને ઈ બધુય દીધુ છે જે આપણને એક પરમેશ્વરનું જીવન જીવવા હાટુ જોયી. ઈ શક્ય છે કેમ કે, અમે પરમેશ્વરને જાણી છયી અને ઈ ઈજ છે જેણે આપણને પોતાની મહિમા અને ભલાયથી એના લોકો થાવા હાટુ બોલાવ્યા છે.


હું પ્રાર્થના કરું છું કે, આપડા પરભુ ઈસુ તમારી બધાયની હારે કૃપાથી કામ કરવાનું સાલું રાખે, જે પરમેશ્વરનાં લોકો છે. આમીન.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ