Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




એફેસીઓને પત્ર 6:8 - કોલી નવો કરાર

8 કેમ કે, તમે જાણો છો કે, જે કોય આવું હારું કામ કરશે, પછી ભલે ચાકર હોય કે, આઝાદ માણસ, તો એનું ઈનામ ઈ પરભુ પાહેથી મેળવશે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




એફેસીઓને પત્ર 6:8
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે, માણસનો દીકરો પોતાના બાપની મહિમામાં પોતાના સ્વર્ગદુતોની હારે આયશે, તઈ તે પ્રત્યેકને એના કામ પરમાણે બદલો આપશે.


એણે તેઓને કીધુ કે, “તમે પણ મારી દ્રાક્ષાવાડીમાં જાવ, અને કામ કરો.”


તમે આનંદ કરો અને બોવ હરખાવો કેમ કે, સ્વર્ગમાં તમારો બદલો મોટો છે. એવી જ રીતે તેઓએ બોવ વખત પેલા આગમભાખીયાઓને પણ એમ જ હેરાન કરયા હતા.


હવે સેતીને રયો! તમે કોય પણ ન્યાયી કે હારા કામ કરો તો ઈ લોકોની હામે કરતાં નય, લોકો તમને હારા કામો કરતાં જોવે એમ નો કરો, જો તમે એમ કરશો તો સ્વર્ગમાંના તમારા બાપથી તમને કાય વળતર મળશે નય.


જેથી તારૂ દાન ખાનગીમાં થાય, પછી તારો બાપ જે ખાનગીમાં જોવે છે એને એનું વળતર આપશે.


જેથી તુ આશીર્વાદિત થાય કેમ કે, આ લોકો પાહે તમને પાછુ આપવા કાય નથી, પણ ન્યાયી માણસો જઈ મરેલામાંથી જીવતા થાહે, તઈ તને પરમેશ્વર વળતર આપશે.”


પણ તમે તમારા દુશ્મનો ઉપર પ્રેમ રાખો, અને તેઓનું હારું કરો, પાછુ મળવાની આશા રાખ્યા વગર ઉછીનું આપો; અને તમને મોટો બદલો મળશે અને તમે પરમપ્રધાન પરમેશ્વરનાં દીકરા થાહો; કેમ કે ભલા અને પાપી લોકો ઉપર તેઓ દયાળુ છે.


જો આપણે યહુદી હોય કા બિનયહુદી હોય કે દાસ હોય કે આઝાદ હોય, આપડે બધાય એક જ આત્માથી જળદીક્ષા પામીને એક જ દેહ બની ગયા છે. અને આપણે બધાયે ઈ જ આત્મા પામી છે. જેવી રીતેથી આપડે એક જ વાટકામાંથી પીયી છયી.


કેમ કે, દરેકે દેહથી જે કરયુ છે, હારું કે ભુંડુ હોય, ઈ પરમાણે બદલો મેળવવા હાટુ આપણને બધાયને મસીહનાં ન્યાયાશન હામે હાજર થાવુ પડશે.


મસીહમાં એક યહુદી કા બિનયહુદી, એક દાસ, કા એક આઝાદ માણસની વસ્સે કોય ભેદભાવ નથી. આમાં પણ કોય ભેદભાવ નથી કે, તમે એક માણસ છો; કે બાય છો. આપડે બધાય ઈસુ મસીહમાં એક હરખા છયી.


ઈ કારણે તેઓમાં એક પણ નથી, નય કોય યહુદી, નય કોય બિનયહુદી, નય કોય સુન્‍નતી, નય કોય બેસુન્‍નતી, નય કોય વિદેશી, નય કોય સ્વદેશી, નય કોય ગુલામ અને નય કોય સ્વતંત્ર, ઈ બધાયની વસે કોય ભેદભાવ નથી, મસીહ દરેકમાં સમાન રીતે રેય છે.


કેમ કે, તમે જાણો છો કે, તમને એના બદલે પરભુ ઈનામ આપશે, અને ઈ આશીર્વાદો માંથી તમારો ભાગ આપે, જે એણે પોતાના લોકોની હાટુ તૈયાર કરયુ છે. તમે પરભુ મસીહની સેવા કરો છો.


કેમ કે, જે કોય ખરાબ કરે છે પરમેશ્વર એને સજા આપશે કેમ કે, પરમેશ્વર કોયનો ભેદભાવ નથી કરતો.


ઈ હાટુ હિંમત નો છોડો કેમ કે તમે પરમેશ્વરથી બોવ જ બદલો મેળવશો.


મિસર દેશના ભંડારોમાંથી વધારે એને મસીહ હાટુ નિંદા સહન કરવાનું હારૂ ગણ્યું, કેમ કે જે હારું ફળ એને સ્વર્ગમાં મળવાનું હતું એની તરફ એનું ધ્યેય હતું.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ