Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




એફેસીઓને પત્ર 5:11 - કોલી નવો કરાર

11 અને અંધારાના નકામાં કામોનાં સાથી નો બનો પણ તેઓને વખોડો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




એફેસીઓને પત્ર 5:11
48 ပူးပေါင်းရင်းမြစ်များ  

વળી જો તારો સાથી વિશ્વાસી ભાઈ તારી હામો ગુનો કરે, તો જા, અને એને એકલામાં લય જયને વાત કરીને એને હંમજાવુ; જો ઈ તારૂ હાંભળે અને પસ્તાવો કરે, તો ઈ તારા સાથી વિશ્વાસી ભાઈને પાછો જીતી લીધો છે.


પણ હેરોદ રાજાએ એના ભાઈ ફિલિપની બાયડી હેરોદિયાસ રાણીની હારે લગન કરયા હતાં અને બીજા ઘણાય ખરાબ કામો કરયા હતાં, ઈ બધાયને લીધે યોહાને એને ઠપકો આપ્યો,


કે તુ એની આંખુ ખોલ. જેથી ઈ અંધારામાંથી અજવાળા બાજું અને શેતાનના અધિકારમાંથી પરમેશ્વરની બાજુ વળે કે, પરમેશ્વર એના પાપોને માફ કરે અને તેઓ ઈ લોકોની હારે જગ્યા મેળવે જે મારા ઉપર વિશ્વાસ કરીને પવિત્ર કરવામા આવ્યા છે.


રાત લગભગ વય ગય છે; દિવસ ઢુકડો આવી પૂગ્યો છે. હવે અંધારાના દૃષ્ટ કામો કરવાનું બંધ કરી દેયી. અજવાળાના હથિયારો લય લેયી.


મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમને વિનવણી કરું છું કે, જે લોકોના કારણે બીજા લોકોનો વિશ્વાસ મટી જાય છે, કે ખોટી વાતો ઉપર વિશ્વાસ કરે છે, એનાથી સાવધાન રયો અને એનાથી આઘા રયો.


પોતાના જુના જીવનથી તમને શું લાભ થ્યો? તમે એના કારણેથી ખાલી શરમાઓ છો. કેમ કે, ઈ કામોનું પરિણામ મોત છે.


કેમ કે જે પોતાના દેહની હાટુ વાવે છે, ઈ દેહથી વિનાશ લણશે; પણ જે આત્માને અરથે વાવે ઈ આત્માથી અનંતકાળનું જીવન લણશે.


તમારા શિક્ષકોએ તમને ઈ રીતેથી છોડી દેવાનું શિક્ષણ આપ્યુ, જેના પરમાણે તમે વ્યવહાર કરતાં હતા. તમારી ભુંડી ઈચ્છાઓએ તમને દગો દીધો અને તમારા જીવનને બરબાદ કરી દીધુ.


કેમ કે, પરમેશ્વર વગરના લોકોની ખાનગી કામોની સરસા પણ શરમજનક વાત છે.


ઈ હાટુ આ પાપીલા કામો કરવામાં તેઓની હારે ભાગીદાર નો થાવ.


અને પરમેશ્વર બાપનો આભાર માનતા રયો કે, જેણે તમને ઈ વારસામાં ભાગીદાર થાવાને લાયક બનાવ્યા છે, જેણે એને સ્વર્ગ રાજ્યમાં પોતાના પવિત્ર લોકો હાટુ તૈયાર કરયુ છે.


કેમ કે, લોકો રાતના વધારે હુવે છે, અને દારૂ પીનારા રાતે દારૂ પીવે છે અને છાકઠા થાય છે.


જો કોય અમારા આ પત્રમાં લખેલી વાતોને નો માંને, તો એની ઉપર ધ્યાન રાખો, અને તેઓથી છેટા રયો, જેથી ઈ પોતે શરમાય જાય.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે તમને પોતાના પરભુ ઈસુ મસીહના નામથી જે આજ્ઞા આપીએ છયી કે, તમે બધાય એવા વિશ્વાસી ભાઈઓ અને બેનુથી છેટા રયો, જે કામ કરવામા આળસુ છે, અને જે આપડા શીખવાડીયા પરમાણે નથી કરતા.


જે લોકો પાપ કરે એને બધાય વિશ્વાસી લોકોની હામે ખીજા, જેથી બાકીના બીજા વિશ્વાસી હોતન પાપ કરવાથી બીવે.


કોય પણ માણસને મંડળીમાં વડવા તરીકે ગમાડવા હાટુ ઉતાવળ કરવી નય, એવુ કરીને એના પાપોમા ભાગીદારી થાવુ નય પણ પોતાની જાતને પવિત્ર બનાવી રાખ.


અને એવુ કરનારામાં કાયમ બાધણા થાતા રેય છે, તેઓની બુદ્ધિ બગડી ગય છે, તેઓને લાગે છે કે, પરમેશ્વરની સેવા કરવી માલ-મિલકત કમાવાનું સાધન છે.


તેઓ દેખાડવા હાટુ ભજન કરશે, પણ તેઓ પરમેશ્વરનાં સામર્થ્યને પોતાના ખરાબ જીવનોને બદલવા હાટુ ના પડી દેય છે. એવા લોકોથી છેટા રયો.


તુ પરમેશ્વરનાં વચનનો પરચાર કરવા હાટુ તૈયાર રે, જો પરીસ્થિતિ હારી હોય કે, ખરાબ હોય, પણ તારે લોકોને આ બતાવું જોયી કે, તેઓએ શું ખોટુ કરયુ છે, અને તેઓના પાપ હાટુ ધમકાવ, પણ જેમ તુ તેઓને પુરી રીતે ધીરજની હારે શિખવાડ છો, એમ તેઓને પ્રોત્સાહન પણ આપ.


ઈ હાટુ તિતસ હું ઈચ્છું છું કે, તુ ક્રીતના વિશ્વાસીઓને આ વાતો શીખવ, જે મે તને કીધી છે. હંમજાય અને જ્યાં જરૂરી હોય, ન્યા તેઓને સુધારો કરયા કર, તને એવુ કરવાનો અધિકાર છે નક્કી કર કે, જે કાય પણ તુ શિખવાડ છો, એને કોય નજર અંદાજ નો કરે.


પછી મે સ્વર્ગથી કોક બીજો અવાજ હાંભળ્યો કે, “હે મારા લોકો, ઈ શહેરમાંથી બારે નીકળી જાવ, ઈ લોકોના પાપોની જેમ નો કરો, એથી જે દુખો એની ઉપર હુમલો કરશે ઈ તમારી ઉપર નો આવે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ