Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




એફેસીઓને પત્ર 4:31 - કોલી નવો કરાર

31 બધાય પરકારની કડવાશ અને ગુસ્સો, કોપ, દેકારો, અપમાન, અને બધાય પરકારની નિંદા કરવાનું બંધ કરો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




એફેસીઓને પત્ર 4:31
62 ပူးပေါင်းရင်းမြစ်များ  

આખા શહેરમાં ખળભળી મચી ગય, અને લોકો હડી કાઢીને ભેગા થયા, અને પાઉલને પકડીને મંદિરની બારે ઢહડીને લીયાવ્યા, અને તરત દરવાજો બંધ કરવામા આવ્યો.


તેઓની વાતો હરાપ અને કડવાશથી ભરેલી છે.


વિશ્વાસી ભાઈઓ અને બહેનો, આ બાબતોની વિષે એક બાળકની જેમ વિસારવાનું બંધ કરો, જઈ ઈ ખરાબની વાતો આવે છે તઈ બાળકોની જેમ નિર્દોષ રયો, અને આ રીતેની બાબતોને હંમજવામાં હમજુ થાવ.


ઈ હાટુ હું કવ છું કે, આપડે કાયમ પરમેશ્વરનાં પવિત્ર લોકોની જેમ રેવું જોયી. આપડે ખરાબ રીતે જીવવું નો જોયી, જેમ કે, આપડે મસીહમાં વિશ્વાસ કરવાથી પેલા કામો કરતાં હતા જેમ આપડે તે ખરાબ અને ભુંડા કામોને બંધ કરી દેવું જોયી. જે અમે કરતાં હતા એના બદલે આપડે પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરવાનું છે અને કોય પણ ખરાબ કામો નથી કરવાના એટલે કે, કાયમ જવાબદારી અને હાસાય હોવી જોયી.


કેમ કે મને બીક છે કે, ક્યાક એવું નો થાય કે, હું આવીને જેવું ઈચ્છું છું, એવું તમને નો પામુ, અને મને પણ જેવું તમે નથી ઈચ્છતા એવુ જ પામો કે, તમારામાં બાધણા, અદેખાઈ, રિહ, વિરોધ, ઈર્ષા, ખટપટ, અભિમાન અને અવ્યવસ્થા હોય.


ઈ મૂર્તિપૂજા કરે છે, ઈ જાદુ-ટોણા કરે છે, ઈ પોતાના લોકોથી નફરત કરે છે, ઈ એક-બીજા હારે બાધણા કરે છે, ઈ એવી વસ્તુઓને પામવાની આશા રાખે છે જે બીજા લોકોની પાહે છે, ઈ જલદી ગુસ્સામાં આવી જાય છે, ઈ પોતાનો મારગ કાઢવા હાટુ બીજા લોકને નીસા પાડે છે, ઈ એવા લોકોને અપનાવતા નથી જેનાથી ઈ સહમત નથી અને ખાલી એવા લોકોની હારે જોડાય છે જેનાથી ઈ સહમત છે,


તમારા શિક્ષકોએ તમને ઈ રીતેથી છોડી દેવાનું શિક્ષણ આપ્યુ, જેના પરમાણે તમે વ્યવહાર કરતાં હતા. તમારી ભુંડી ઈચ્છાઓએ તમને દગો દીધો અને તમારા જીવનને બરબાદ કરી દીધુ.


આ કારણે ખોટુ બોલવાનું છોડીને, દરેક પોતાના સાથી વિશ્વાસુથી હાસુ બોલે કેમ કે, આપડે બધાય એક જ દેહના અંગ છયી.


જો તમે ગુસ્સે થય જાવ, તો ધ્યાન રાખો કે, તમે પાપનો કરો અને નક્કી કરો કે, હાંજ થાતા પેલા તમે ગુસ્સે થાવાનું બંધ કરો.


હે ધણીઓ પોત પોતાની બાયડીથી પ્રેમ રાખો, અને તેઓની હારે દયાથી વ્યહેવાર રાખો.


પણ હવે તમે પણ આ બધાયને જેમ કે, ગુસ્સો, રીહ કરવી, વેર ભાવ, નિંદા, અને ગાળું બોલવાનુ, બંધ કરવુ જોયી.


ઈજ પરમાણે બાયુ પણ ગંભીર હોવી જોયી; તેઓ ખટપટણી નય, પણ શાંત અને બધીય વાતોમાં વિશ્વાસપાત્ર હોવી જોયી.


ઈ એક દારૂડિયો કે એવો માણસ હોવો જોયી નય, જે સદાય બાધણું કરે છે, પણ દયાળુ, અને શાંત સ્વભાવનો માણસ હોવો જોયી, અને રૂપીયાનો લોભી હોય નય.


અને એની હારોહાર ઘરે-ઘરે ફરીને આળસુ થાવાનુ શીખે છે, અને ખાલી આળસુ જ નય, પણ બીજા લોકોની વિષે અફવા ફેલાવે છે; અને બીજાના કામમા માથું મારે અને એવી વાતો કેય છે જે એને નો કેવી જોયી.


પણ મુરખ અને અક્કલ વગરનાની હારે વાદ-વિવાદ કરવાથી આઘો રે કેમ કે, તુ જાણ છો કે, એનાથી બાધણું જ થાય છે.


દયા નો કરનારા, માફ નો કરનારા, આરોપ લગાડનારા, પોતાની ઈચ્છા ઉપર કાબુ નો રાખનારા, કઠોર મનવાળા, હારા કામનો વિરોધ કરનારા,


કેમ કે, આગેવાન પરમેશ્વરનો કારભારી હોવાના લીધે નિરદોષ હોવો જોયી, અભિમાન કરનારો નય, ગુસ્સો કરનારો નય, દારૂડિયો નય, બાધણા કરનારો નય કે, રૂપિયાનો લાલસુ હોવો જોયી નય.


આ રીતે ગવઢી બાયુ વરતન કરે, જે બધીય વાતુમાં પરમેશ્વરને માન આપે, બીજાની ભૂલો કાઢનારી નય, અને દારૂડીયુ નય પણ ઈ બીજાને હારી વાતુ શીખડાવનારી હોય.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, આ વાત તમે જાણી લ્યો, દરેક માણસ હાંભળવા હાટુ ઉતાવળો અને બોલવામા ધીરો અને ગુસ્સો કરવામા ધીમો રેય.


પણ તમે પોત પોતાના મનમા ખરાબ ઈર્ષા અને સ્વાર્થ રાખો છો, તો મેણાનો મારતા અને હાસના વિરોધમાં નો તો ખોટુ બોલતા.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, એક-બીજાની નિંદા કરવી નય, જે પોતાના વિશ્વાસી ભાઈની નિંદા કરે છે કા પોતાના વિશ્વાસી ભાઈ ઉપર આરોપ લગાડે છે, ઈ નિયમની નિંદા કરે છે, અને નિયમની ઉપર નિંદા લગાડે છે. જો તુ નિયમશાસ્ત્રની નિંદા કરે છે તો તુ નિયમશાસ્ત્ર ઉપર હાલનારો નથી પણ એની ઉપર એવો આરોપ લગાડે છે જેમ કે, તુ નિયમશાસ્ત્રનો ન્યાય કરનાર છો.


ઈ હાટુ, બધાય પરકારના ખરાબ વ્યવહારની ના પાડો, બીજાઓને દગો નો આપો, ઢોંગી નો બનો, બીજાઓથી ઈર્ષા નો રાખો, બીજા લોકોની વિરુધ ખરાબ વાતો કરવી નય.


અને આદમના દીકરા કાઈનની જેવા નો બનો, જે શેતાન તરફથી હતો, અને એને પોતાના ભાઈ હાબેલને મારી નાખ્યો. અને એના ભાઈને શું કામ મારી નાખ્યો? કેમ કે, એના કામો ખરાબ હતાં, અને એના ભાઈનાં કામો ન્યાયી હતા.


જે કોય પોતાના ભાઈથી વેર રાખે છે, ઈ હત્યારો છે, અને તમે જાણો છો કે, કોય હત્યારામાં અનંતકાળનું જીવન રેતું નથી.


પછી મે સ્વર્ગ ઉપરથી આ મારો શબ્દ આવતો હાંભળ્યો, હવે આપડો પરમેશ્વર પોતાના લોકોનો બસાવ કરે, હવે ઈ પોતાના સામર્થ્યનો ઉપયોગ કરશે અને રાજાની જેમ રાજ્ય કરશે, હવે એના મસીહ જગત ઉપર પોતાના અધિકારનો દાવો કરશે કેમ કે, હવે શેતાન આપડા પરમેશ્વરની હાજરીમા ઉભો રહેલો આપડા સાથી વિશ્વાસી લોકો ઉપર દિવસ રાત આરોપ નય લગાડે. એને સ્વર્ગથી બારે ફેકી દેવામાં આવ્યો છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ