મારા મિત્રો, બદલો વાળતા નય; એને બદલે, ઈ કામ પરમેશ્વરનાં કોપને કરવા દયો. શાસ્ત્રમા લખેલુ છે કે, બદલો લેવો ઈ મારૂ કામ છે, અને હું બદલો લેય, એમ પરભુ કેય છે.
આયા એક બીજી વાત છે. જેમ એક સિપાય ઢાલ લયને પોતાની ઉપર આવનાર વેરીઓના તીરથી પોતાની જાતને બસાવે છે, એવી જ રીતે મસીહ ઉપર મજબુત વિશ્વાસ રાખો કે, મસીહ તમને શેતાન દ્વારા નુકશાન પુગાડવાથી બસાવીને રાખે.
જાગૃત રયો કેમ કે, શેતાન તમારો વેરી તમારા ઉપર હુમલો કરવા ઈચ્છે છે, જેથી તમે પરમેશ્વરની આજ્ઞાનું પાલન નો કરો, ઈ ગરજનાર સિંહની જેવો છે જે આગળ-પાછળ જાતા જોવે છે કે, ઈ કોયને ખાય હકે.