14 આ કારણથી, હું બાપ પરમેશ્વરની હામે ઘુટણે પડુ છું, અને પ્રાર્થના કરું છું
અને પછી ઈસુ એનાથી લગભગ એક નાડાવા જેટલો આઘો ગયો, ઘુટણે પડીને પ્રાર્થના કરવા લાગ્યો.
આ ક્યને એણે ગોઠણયા ભરી, અને ઈ બધાયની હારે પ્રાર્થના કરી.
હાત દિવસ પછી જઈ ન્યાંથી અમારે જાવાનો વખત આવ્યો, તો અમે ન્યાંથી વયા ગયા, બધાય વિશ્વાસી લોકો પરિવાર હારે અમને શહેરની બારે હુધી પુગાડી દીધા, અને અમે દરીયા કાઠે ગોઠણીયા ટેકવીને પ્રાર્થના કરી.
પછી ઘુટણે પડીને જોરથી રાડ નાખીને કીધુ કે, “હે પરભુ, મને આ પાપ હાટુ માફ કરી દે.” એમ કયને ઈ મરી ગયો.
તઈ પિતરે બધાયને બારે કરી દીધા, અને ગોઠણયા ભરીને પ્રાર્થના કરી કે, એના દેહને જોયને કીધું કે, “હે તાબીથા ઉભી થા.” તઈ તાબીથાએ એની આંખુ ખોલી દીધી, અને પિતરને જોયને બેઠી થય.
આપડા પરભુ ઈસુ મસીહના બાપ અને પરમેશ્વરની સ્તુતિ થાય, મસીહ હારેના આપડા સબંધને કારણે, સ્વર્ગથી આવનાર બધાય આશીર્વાદો દ્વારા એણે આપણને દરેક રીતેથી આત્મિક રીતે મસીહમાં આશીર્વાદિત કરયા છે.
આ ઈ જ છે જે વિશ્વાસુઓના આખા પરિવારનો બાપ છે, જે સ્વર્ગમાં છે અને જે પૃથ્વીમાં છે.
જેથી સ્વર્ગમાંના, પૃથ્વી ઉપરનાં અને પાતાળમાંના બધાય ઈસુના નામે ઘુટણે પડીને નમે.