Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




એફેસીઓને પત્ર 1:17 - કોલી નવો કરાર

17 હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર, આપણા પરભુ ઈસુ મસીહના મહિમામય બાપ, તમને આત્મા દેય, જે તમને હમજદાર બનાવી દેહે અને પરમેશ્વરને તમારી ઉપર પરગટ કરશે, જેથી તમે એને ઓળખી હકો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




એફેસીઓને પત્ર 1:17
56 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ વેળાએ ઈસુએ કીધું કે, “ઓ બાપ, આભ અને પૃથ્વીના પરભુ, હું તારી સ્તુતિ કરું છું કેમ કે, જ્ઞાની લોકો અને હમજણાઓથી ઈ વાતો છુપી રાખીને, બાળકોને પરગટ કરી છે.”


મારા બાપે મને બધુય હોપ્યુ છે, અને કોય જાણતું નથી કે, દીકરો કોણ છે ઈ પરમેશ્વર બાપ સિવાય બીજુ કોય જાણતું નથી, અને બાપ કોણ છે ઈ પણ કોય જાણતું નથી, ખાલી દીકરાને અને ઈ જેની ઉપર દીકરો પરગટ કરવા ઈચ્છે, એની વગર બીજુ કોય જાણતું નથી.


ઈસુએ એને જવાબ દીધો કે, “સિમોન યુનાનાં દીકરા, તુ આશીર્વાદિત છે: કેમ કે, કોય માણસે નય, પણ મારા બાપે જે સ્વર્ગમાં છે, એણે આ વાત તારી ઉપર પરગટ કરી છે.”


એણે ઈસુને જવાબ દીધો કે, “હે પરભુ, હું ફરીથી જોતો થાવ.”


અને અમને પરીક્ષણમાં નો લાવ, પણ શેતાનથી અમને બસાવ. કેમ કે, રાજય અને પરાક્રમ અને મહિમા સદાય હાટુ તમારા જ છે. આમીન.


કેમ કે, પવિત્ર આત્મા ઈજ વખતે એને શીખવાડી દેહે કે, તમારે શું કેવું જોયી.


“બધાયથી ઉચે સ્વર્ગમા પરમેશ્વરને મહિમા થાઓ અને પૃથ્વી ઉપર ઈ લોકોમા શાંતિ થાઓ જેઓથી ઈ રાજી છે.”


કેમ કે, હું તમને એવુ બોલવાની બુદ્ધિ આપય, કે તમારા બધાય વેરીઓ જવાબ નય આપી હકે, અને હામે નય થય હકે,


કા ઈ આત્મા છે, જે પરમેશ્વરનાં વિષે હાસ પરગટ કરે છે, જેણે જગત પામી નથી હકાતું, કેમ કે ઈ નતો એને જોય છે અને નતો એને જાણતા, પણ તમે એને જાણો છો, કેમ કે ઈ તમારી હારે રેય છે અને તમારામા સદાય રેહે.


પણ મદદગાર એટલે પવિત્ર આત્મા, જેને બાપ મારા નામે મોકલશે, ઈ તમને બધીય વાતો શિખવાડશે અને જે કાય મે તમને કીધું છે, ઈ બધુય તમને યાદ કરાયશે.


તેઓ આ ઈ હાટુ કરશે કેમ કે, તેઓએ બાપને ઓળખો નય અને મને ઓળખો નય.


અને આ અનંતકાળનું જીવન છે કે, તેઓ તને ઓળખી હકે, ખાલી હાસા પરમેશ્વર અને ઈસુ મસીહ જેને તમે મોકલ્યો છે.


ઈસુએ એને કીધું કે, “મને અડતી નય કેમ કે, હું હજી હુધી બાપની પાહે સ્વર્ગમા નથી ગયો, પણ મારા ભાઈઓની પાહે જયને તેઓને કય દેય કે, હું મારા બાપ અને તારા બાપ, અને મારા પરમેશ્વર અને તારા પરમેશ્વરની પાહે ઉપર જાવ છું”


પણ એણે જે કાય કીધું હતું એનો જવાબ તેઓ દય હક્યાં નય, કેમ કે પવિત્ર આત્માએ સ્તેફનને બુદ્ધિથી બોલવામાં મદદ કરી.


સ્તેફને જવાબ દીધો કે, “હે ભાઈઓ, અને વડવાઓ, હાંભળો આપડા વડવા ઈબ્રાહિમને હારાન ગામમાં આવીને રેવાની પેલા ઈ મેસોપોટેમિયા પરદેશમા હતો, ન્યા મહિમાવાન પરમેશ્વરે એને દર્શન દીધા.”


કેમ કે, તેઓએ પરમેશ્વરને અપનાવવું મુર્ખાય હંમજી, તો પરમેશ્વરે પણ ઈ બધાય ખરાબ કામ કરવાના લીધે એને એના નક્કામાં મનના કાબુમાં છોડી દીધા.


ઈ હાટુ ધીરજ અને દિલાસો દેનાર પરમેશ્વર તમને એવુ વરદાન આપે કે, તમે મસીહ ઈસુને અનુસરીને અંદરો-અંદર એક જ મનના થાવ.


એક વિશ્વાસીને પરમેશ્વરની આત્માથી જ્ઞાનની વાત અપાય છે; તો કોય બીજાને જ્ઞાનનો સંદેશો અપાય છે.


વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમારી વસે આવીને હું બીજી ભાષાઓ બોલું પણ જો આગમવાણી, જ્ઞાન, ઉપદેશ કે, શિક્ષણ આપું નય, તો એનાથી તમને કાય લાભ નથી.


પરમેશ્વરે પોતાની આત્મા દ્વારા તેઓને આપડી ઉપર પરગટ કરયા છે કેમ કે, આત્મા બધુય ગોતે છે, ન્યા હુધી કે, પરમેશ્વરની ગંભીર વાતો હોતન ગોતે છે.


જેણે આ જગતના અધિકારીઓમાંથી કોયે નથી જાણયું કેમ કે, જો જાણતા હોત તો મહિમાવાન પરભુને વધસ્થંભ ઉપર નો સડાવત.


અભિમાન કરવાથી કાય ફાયદો નથી, તો પણ અભિમાન કરવુ પડે છે. પણ પરભુએ મને જે દર્શન અને પ્રકટીકરણ આપ્યુ છે એના વિષે સરસા કરય.


આપડા પરભુ ઈસુ મસીહના બાપ અને પરમેશ્વરની સ્તુતિ થાય, મસીહ હારેના આપડા સબંધને કારણે, સ્વર્ગથી આવનાર બધાય આશીર્વાદો દ્વારા એણે આપણને દરેક રીતેથી આત્મિક રીતે મસીહમાં આશીર્વાદિત કરયા છે.


ભૂતકાળમાં પરમેશ્વરે લોકોને આ રહસ્ય પરગટ નથી કરયુ. પણ હવે એને આત્મા દ્વારા આપડા પવિત્ર ગમાડેલા ચેલાઓ અને આગમભાખીયાઓને એનો ખુલાશો કરયો છે.


આ ન્યા હુધી સાલું રેહે જ્યાં હુધી કે, આપડે પોતાના વિશ્વાસ અને પરમેશ્વરનાં દીકરાની વિષે આપડી હમજણમાં એક નથી થાતા. તઈ આપડે ડાયા થય જાહુ, જેમ કે, મસીહ છે અને આપડે પુરી રીતેથી એની જેમ થય જાહુ.


અને આપડામાંથી જેટલા વિશ્વાસમા મજબુત છે, તેઓ આવું વલણ રાખે અને જો કોય પણ વાતમાં તમારુ બીજુ કાય વલણ હોય તો પરમેશ્વર એને પણ તમારી હામે કરી દેહે.


ઈ વિરોધ કરનારાને ભોળપણથી હમજાવે, થય હકે છે કે, પરમેશ્વર એના મનમા કામ કરે કે, તેઓ પાપ કરવાનું છોડી દેય, અને ઈસુ મસીહના હાસની વિષે જાણી હકે.


હું પાઉલ, આ પત્ર લખી રયો છું, હું પરમેશ્વરનો સેવક અને ઈસુ મસીહનો ગમાડેલો ચેલો છું મને પરમેશ્વરે ગમાડેલા લોકોના વિશ્વાસને મજબુત અને હાસા શિક્ષણોને જાણાવામાં મદદ કરવા હાટુ મોકલ્યો છે, જેથી ઈ એવુ જીવન જીવે જે પરમેશ્વરને રાજી કરે છે.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે અમારા મહિમાવાન પરભુ ઈસુ મસીહના ચેલાઓ છો ઈ હાટુ તમારી વસે ભેદભાવ નો થાય.


પરમેશ્વરે પોતાના સામર્થ્ય દ્વારા આપણને ઈ બધુય દીધુ છે જે આપણને એક પરમેશ્વરનું જીવન જીવવા હાટુ જોયી. ઈ શક્ય છે કેમ કે, અમે પરમેશ્વરને જાણી છયી અને ઈ ઈજ છે જેણે આપણને પોતાની મહિમા અને ભલાયથી એના લોકો થાવા હાટુ બોલાવ્યા છે.


એની બદલે એવી રીતે જીવો કે, તમે આપડા પરભુ અને તારનાર ઈસુ મસીહની તમારા પ્રત્યે કૃપાના કામોને વધારેમાં વધારે અનુભવ કરતાં રયો, અને તમે એને વધારે હારી રીતે જાણો. હું પ્રાર્થના કરું છું કે, દરેક ઈસુ મસીહનુ સન્માન હવે અને સદાય હાટુ કરે! આમીન.


તેઓએ કીધું કે, “આમીન. આપડે જાહેર કરી છયી કે, આપડો પરમેશ્વર મહાન, સ્તુતિ, પરાક્રમી, સામર્થ્યવાન અને જ્ઞાની છે, આવો આપડે સદાય હાટુ એની મહિમા કરી અને એનો આભાર માની, આમીન.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ