અને જઈ ઈ શાઉલને મળો તો એને અંત્યોખ શહેરમાં લાવ્યો, અને આ થયુ કે તેઓ એક વરહ હુધી મંડળીના લોકોની હારે મળતા રયા, અને ઘણાય લોકોને પરભુ ઈસુના વિષે સંદેશો આપતા રયા, અને ઈસુ મસીહના ચેલાઓ બધાયની પેલા અંત્યોખ શહેરમાં જ મસીહ કેવાણા.
પેલા દમસ્કસ શહેરના, પાછો યરુશાલેમ શહેરના અને એના પછી યહુદીયા પરદેશના બધાય જગ્યાઓમાં રેનારા લોકોમા અને બિનયહુદી લોકોમા પરચાર કરયો કે, પસ્તાવો કરો અને પાપ કરવાનું બંધ કરીને પરમેશ્વર બાજુ વળો અને એવુ જીવન જીવીને સાબિત કરો કે તમે ખરાબ કામો કરવાનું મુકી દીધુ છે.
શાઉલે યરુશાલેમ શહેરમાં ઈસુને બીજા ચેલાઓની હારે ભેગા થાવાની કોશિશ કરી કે, પણ બધાય એનાથી બીતા હતાં, કેમ કે એને વિશ્વાસ નોતો થાતો કે, ઈ પણ ઈસુનો ચેલો બની ગયો છે.
હવે લુદા શહેર જોપ્પા શહેરથી ઢુંકડું હતુ અને વિશ્વાસી લોકોએ આ હાંભળ્યું કે પિતર પાહેના લુદા શહેરમાં છે, તઈ તેઓએ બે ચેલાઓને વિનવણી કરવા હાટુ મોકલ્યા કે અમારી પાહે જલદી આવવા વાર લગાડતા નય.
અને જે મારી જેમ ગમાડેલા ચેલાઓ હતાં તેઓને મળવા હાટુ હું યરુશાલેમ શહેર નથી ગયો. પણ તરત હું અરબસ્તાન દેશ વયો ગયો અને ન્યાંથી બીજીવાર દમસ્કસ શહેર પાછો વયો આવ્યો.