Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 8:30 - કોલી નવો કરાર

30 ફિલિપ હડી કાઢીને; ઈ રથની પાહે પૂગ્યો, તો એણે ખોજાની યશાયા આગમભાખીયાની સોપડીમા હાંભળ્યું હતું, અને એને પુછયું કે, “તુ જે વાસશો એને હમજશો?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 8:30
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ પરમેશ્વરનું વચન કોય હાંભળે છે, અને નથી હમજતો તઈ શેતાન આવીને એના મનમાં જે વાવેલું છે, ઈ હોતન ભુલાવી દેય છે. મારગની કોરે જે બી વાવેલું છે ઈ જ ઈ છે.


હારી જમીન ઉપર જે બી વાવેલું આ ઈ જ છે કે, જે વચન હાંભળે છે અને હમજે છે ને એની નીસે ફળ લાગે છે, એટલે વાવેલામાંથી કોયને ત્રીહ ગણા, અને હાઠ ગણા, અને હો ગણા ફળ આપે છે.”


“શું તમે ઈ બધીય વાતો હંમજ્યાં?” ચેલાઓએ ઈસુને કીધુ કે, “હા.”


વળી ઈસુએ લોકોને પોતાની પાહે બોલાવીને તેઓને કીધુ કે, “તમે બધાય મારું હાંભળો અને હંમજો.


ઈ હાટુ જઈ તમે ઈ નાશકારક ખરાબ વસ્તુ જેની વિષે દાનીયેલ આગમભાખીયાએ બોવ વખત પેલા કીધુ હતું કે, જઈ તમે એને પવિત્ર જગ્યાએ ઉભેલી જોહો.


પણ એક દિવસ તમે ખરાબ માણસને જોશો જેના કારણે મંદિરને છોડી દેવામાં આયશે. ઈ એવી ઉજ્જડ જગ્યાએ ઉભો હશે જ્યાં એને ઉભા રેવાનું કોય અધિકાર નથી. દરેક કોય જે એને વાસે છે એને હંમજવાની કોશિશ કરવી જોયી! જઈ ઈ વખત આયશે, જે લોકો યહુદીયા જિલ્લામાં હોય, તેઓ બસવા હાટુ ડુંઘરાની બાજુ ભાગવું પડશે જેથી ઈ મરી જાય નય.


ઈસુએ તેઓને કીધું કે, પરમેશ્વરની ઈચ્છા ઉપર હાલવાનું, અને એના કામોને પુરા કર, આજ મારું ખાવાનું છે.


તમે શાસ્ત્ર ઈ હાટુ વાસી લયો, કેમ કે તમે માનો છો કે, એમા જ અનંતકાળનું જીવન મળે છે, પણ આજ શાસ્ત્ર મારી વિષે સાક્ષી પુરે છે.


તઈ ઈ ઉભો થયને વયો ગયો, અને મારગમાં એને એક ખોજો મળ્યો, ઈ એક મુખ્ય અધિકારી હતો જો કે, ઈથિયોપિયાની રાણીના બધાય ખજાનાની દેખભાળ કરતો હતો અને ભજન કરવા હાટુ યરુશાલેમ શહેરમાં આવ્યો હતો.


તઈ પવિત્ર આત્માએ ફિલિપને કીધું કે, “પાહે જયને એના રથની હારે થયજા.”


એણે કીધું કે, “મને કોય હમજાવે ઈ વિના હું કેવી રીતે હંમજી હકુ?” અને એણે ફિલિપને વિનવણી કરી કે, તુ રથમાં સડીને મારી પાહે બેહય? તઈ ઈ રથમાં સડીને બેઠો.


ઈ વિશ્વાસીઓમાંથી ફિલિપ નામે વિશ્વાસી યરુશાલેમ શહેરથી સમરૂન પરદેશમા ગયો અને એણે ન્યા મસીહનો પરચાર કરયો.


પણ એના સિવાય, જો હું વિશ્વાસીઓની એક મંડળીમાં છું, હું એનો ઉપયોગ નય કરી હકુ કેમ કે, ઈ મારી હાટુ હારું છે અને પાસ શબ્દ કવ જે એવા કે, હંમજાય અને શીખવુ કા બીજાને માર્ગદર્શન આપું, એના બદલે મારી ભાષાના બોલ હજારો હોય પણ હંમજી નથી હકાતા.


ઈ કારણે મુરખા નો થાવ પણ ઈ જાણવાનો પ્રયત્ન કરીને બુદ્ધિશાળીની જેવા બનો કે, પરભુ તમારીથી શું કરાવવા માગે છે.


આ નિશાનીની વ્યાખ્યા હાટુ સતુરાયથી વિસારવુ પડે, પણ જેને જ્ઞાન છે ઈ આ જાણી હકે છે કે, આ હિંસક પશુની સંખ્યાનો અરથ શું છે કેમ કે, આ એક માણસનું નામ છે, આ સંખ્યા (666) છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ