Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 7:38 - કોલી નવો કરાર

38 આ જ મુસા એક આગમભાખીયાના રૂપમાં આપડા વડવાઓની હારે હતો, જઈ ઈ વગડામાં એક હારે ભેગા હતાં ન્યા સિનાઈ ડુંઘરા ઉપર મુસાને સ્વર્ગદુત દ્વારા જીવનદેનારા વચન મળ્યા અને એણે એને અમારી લગી પુગાડી દીધા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 7:38
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે યહુદીઓનુ નિયમશાસ્ત્ર મુસા દ્વારા દેવામાં આવ્યું, અને પરમેશ્વરે ઈસુ મસીહ દ્વારા કૃપા અને હાસાય દેખાડી.


આત્મા જ જીવન આપે છે જે કોયને સદાય હાટુ જીવાડી હકે છે, માણસનો સ્વભાવ આ વાતમાં મદદ નથી કરતો. મે જે તારી પાહેથી શીખ્યું છે ઈ આત્માની વિષે, અને તેઓએ તને અનંતકાળ હાટુ બતાવ્યો.


મિધાન દેશમાં મૂસા સ્યાલીસ વરહ રયા પછી, એક સ્વર્ગદુતે સિનાઈ ડુંઘરાની પાહે વગડામાં બળતા ઝાડવાની જાળામાં દર્શન દીધા.


આ ઈ જ મુસા છે; જેનો ઈઝરાયલનાં લોકોએ આ કયને નકાર કરી દીધો હતો કે, “તને કોણે અમારો અધિકારી અને ન્યાય કરવા હાટુ ઠરાવ્યો છે?” આ ઈજ છે જેને પરમેશ્વરે ઈ સ્વર્ગદુત દ્વારા, જે એના હાટુ ઝાડીમાં પરગટ થયો હતો. અધિકારી અને તારનાર થાવા હાટુ મોકલ્યો.


તમને સ્વર્ગદુતોથી પરમેશ્વરનો નિયમ મળ્યો તોય પણ તમે એનુ પાલન નો કરયુ.


એક યહુદી હોવામાં બોવ જ લાભ છે. બધાયથી મહત્વનું આ છે કે, પરમેશ્વરનાં વચનો તેઓને હોપવામાં આવ્યા છે.


તેઓ ઈઝરાયલ દેશના લોકો છે, અને ખોળે લીધેલા બાળક, મહિમા, કરાર, શાસ્ત્રદાન, ભજનભાવ અને પરમેશ્વરનાં વચનો એના જ છે.


તો પછી શાસ્ત્રનો હેતુ શું હતો? ઈ તો ગુનાના કારણે પછીથી દેવામાં આવ્યો, પરમેશ્વરે શાસ્ત્રની રસના આ પરકારે કરી હતી કે, આ ઈ વખત હુધી માન્ય રેહે જ્યાં હુધી કે, ઈબ્રાહિમનો વંશ, મસીહ નય આવે; આ ઈ વંશને વિષે હતું જેનો પરમેશ્વરે વાયદો કરયો હતો. સ્વર્ગદુતોની મદદથી મુસાને શાસ્ત્ર દેવામાં આવ્યું અને મુસા પરમેશ્વર અને લોકોની વસે મધ્યસ્થી બની ગયો.


કેમ કે, જો પરમેશ્વરનો સંદેશો જે સ્વર્ગદુત દ્વારા આપવામાં આવ્યો હતો, ઈ સદાય હાસુ સાબિત થયો, અને જેઓએ ઈ આજ્ઞાઓને માની નય અને પાલન કરયુ નય તેઓને પરમેશ્વરે સજા આપી.


કેમ કે, ખરેખર પરમેશ્વરનું વચન જીવતું અને બેધારી તલવારથી પણ વધારે તેજ છે. ઈ આત્મા અને જીવ, હાંધા અને માસને પણ વીંધી નાખે છે. ઈ મનની ઈચ્છા અને વિસારોને પણ પારખી લેય છે.


કેમ કે આટલા વખતમાં તો તમારે શિક્ષક બની જાવા જેવું હતું, પણ અત્યારે તો પરમેશ્વરનાં વચનના પાયાનો દાખલો કયો હતો, ઈ કોય તમને પાછુ શીખવાડે એવી જરૂર ઉભી થય છે; અને એમ એવા બાળકની જેવા થયા છો કે, જેને દુધની જરૂરિયાત છે અને જે ભારે ખોરાક ખાય હકે એમ નથી.


જે લોકો વિશ્વાસીઓની સભામાં બોલે છે એને એવી રીતે બોલવું જોયી જેમ કે ઈ પરમેશ્વરનો જ સંદેશો બોલી રયો છે. ઈ જે બીજાની હાટુ દયાળુ કામ કરે છે એને એવી તાકાત હારે કરવુ જોયી જે પરમેશ્વર એને દેય છે, જેથી તમે પરમેશ્વરનું સન્માન કરી હકો, જેમ ઈસુ મસીહ આપણને સક્ષમ બનાવે છે આપડે બધાય પરમેશ્વરની મહિમા કરી કેમ કે, એની પાહે બધાયની ઉપર શાસન કરવાનો પુરો અધિકાર છે સદાય હાટુ છે એવુ જ થાય. આમીન.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ