17 “પણ જઈ પરમેશ્વરે ઈબ્રાહિમને વાયદો કરયો હતો, એને પુરો થાવાનો વખત પાહે આવી ગયો હતો, અને તઈ મિસર દેશમાં લોકોની સંખ્યા વધી ગય.
આ ઈઝરાયલ દેશના લોકોને પરમેશ્વરે આપડા બાપ દાદાથી ગમાડી લીધા છે, અને જઈ ઈ મિસર દેશમાં પરદેશી થયને રેતા હતાં, તો એનો પરિવાર બોવ વધ્યો, અને સામર્થવાન હાથોથી મિસર દેશની ગુલામીમાંથી કાઢી લાવ્યો.
અને પરમેશ્વરે ઈ પણ કીધું કે, “તારી પેઢીના લોકો પારકા દેશમાં રેહે, અને ઈ દેશના લોકો એને ચાકર બનાયશે, અને સ્યારસો વરહ લગી ખરાબ વ્યવહાર કરશે.”