Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 6:9 - કોલી નવો કરાર

9 પણ થોડાક લોકોએ સ્તેફનનો વિરોધ કરયો, અને ઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના લોકો હતાં, અને ઈ ગુલામીથી મુક્ત કેવાતા હતાં, ઈ લોકો કુરેન ગામ અને એલેકઝાંન્ડ્રિયા, કિલીકિયા એમ જ આસિયા પરદેશના પણ હતાં, આ લોકો સ્તેફનની હારે વાદ-વિવાદ કરવા મડયા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 6:9
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ તમે માણસોથી સાવધાન રયો કેમ કે, તમારા દુશ્મનો તમને કોરાટમાં લય જાહે અને તેઓના યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં તમને કોરડા મારશે.


ઈ હાટુ જો આગમભાખીયાઓને, જ્ઞાનીઓને, અને યહુદી નિયમના શિક્ષકોને તમારી પાહે મોકલું છું, તો તમે તેઓમાના કેટલાકને મારી નાખશો અને કેટલાકને વધસ્થંભે સડાવી દેહો, અને એમાંથી થોડાકને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં કોરડા મારશો, ગામે ગામ એની વાહે જાહો.


જઈ તેઓ શહેરથી બારે જાતા હતાં, તો કુરેન ગામનો સિમોન નામનો એક માણસ તેઓને મળ્યો, એની પાહે પરાણે તેઓએ ઈસુનો વધસ્થંભ ઉપડાવો.


તમારે સદાય સાવધાન રેવું જોયી કેમ કે, તમારા દુશ્મનો તમને કોરાટમાં લય જાહે અને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં મારશે. કેમ કે, તમે મારું માનો છો, રાજ્યપાલ અને રાજાઓની હામે ઉભા રાખવામાં આયશે જેથી તમારો ન્યાય કરવામા આવે. તઈ તમે તેઓની હામે મારા સાક્ષી બનશો.


પણ ઈ બધુય થયા પેલા મારા નામને લીધે તેઓ તમને પકડશે, તમને સતાયશે અને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં અને જેલખાનાનાં અધિકારીઓના હાથમાં હોપશે, અને રાજાઓ અને રાજ્યપાલની હામે લય જાહે.


પણ તેઓમાના કેટલાક વિશ્વાસી માણસો જેઓ સાયપ્રસ ટાપુ અને કુરેન ગામના રેવાસી હતા, જઈ તેઓ અંત્યોખ શહેરમાં પુગ્યા તઈ ગ્રીક ભાષા બોલનારા બિનયહુદી લોકોને હોતન પરભુ ઈસુના હારા હમાસાર હંભળાવ્યા.


અંત્યોખ શહેરની મંડળીમાં કેટલા આગમભાખીયા અને વચન શીખવાડવા વાળા હતાં, એમાંથી બાર્નાબાસ, શિમયોન જે નગર કેવાય છે, અને કુરેન ગામનો લુકિયસ, મનાએન જે નાનપણથી હેરોદની હારે નાના-મોટો થયો હતો, અને શાઉલ.


પણ યહુદી લોકોના આગેવાન લોકોનું મોટુ ટોળૂ જોયને ઈર્ષા થાવા મડી અને ઠેકડી કરતાં પાઉલના વિરોધમાં બોલવા લાગ્યા.


અને તેઓએ એને ઈ પત્ર લયને મોકલીયા કે, “ગમાડેલા ચેલાઓ અને વડવા તરફથી અંત્યોખ શહેર, સિરિયા અને કિલીકિયા પરદેશમા રેનારા બિનયહુદી વિશ્વાસી ભાઈઓને સલામ.


પછી તેઓ આખા સિરિયા અને કિલીકિયા પરદેશોમા ગયા અને મંડળીના વિશ્વાસીઓને વિશ્વાસમા મજબુત કરીને આગળ વધતા ગયા.


પાઉલ અને એના સાથીઓ ફ્રુગિયા અને ગલાતિયાના પરદેશોમા થયને ગયા, કેમ કે પવિત્ર આત્માએ એને આસિયા પરદેશમા વચન હભળાવવાની ના પાડી હતી.


ઈ વખતે આપોલસ નામનો એક યહુદી માણસ હતો, જેનો જનમ એલેકઝાંન્ડ્રિયા શહેરમાં થયો હતો, જે વિધવાન માણસ હતો અને શાસ્ત્રની આજ્ઞા રાખનારો હતો, ઈ એફેસસ શહેરમાં આવ્યો હતો.


બે વરહ લગી એમ જ થાતું રયું, ન્યા લગી કે આસિયા પરદેશમા રેનારા શું યહુદી, શું બિનયહુદી બધાય લોકોએ પરભુનુ વચન હાંભળી લીધું.


તમે જોતા અને હાંભળો છો કે ખાલી એફેસસ શહેરમાં જ નય, પણ આસિયા પરદેશના બધાય ગામોમાં આ કયને, આ પાઉલે બોવ લોકોને હંમજાવ્યા અને ભરમાંવ્યા પણ છે કે, માણસોના હાથે બનેલી આ મૂર્તિઓમાં પરમેશ્વર નથી.


જઈ ઈ હાત દિવસ પુરા થાવાના હતાં, તો આસિયા પરદેશના યહુદી લોકોએ પાઉલને મંદિરમાં જોયને, ટોળાના બધાય લોકોને સડાવિયા, અને તેઓ રાડુ નાખી નાખીને પાઉલને પકડી લીધો.


પાઉલે કીધું કે, “નય, હું એક યહુદી છું, કિલીકિયા પરદેશના તાર્સસ શહેરનો રેવાસી છું, હું એક મુખ્ય નાગરિક છું, અને હું તને વિનવણી કરું છું કે, મને લોકોની હારે વાત કરવા દે.”


મે કીધું કે, હે પરભુ, ઈ તો તમે જાણો છો કે, હું તારા ઉપર વિશ્વાસ કરનારાઓને જેલખાનામાં નાખી અને બધીય યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં કોરડા મરાવતો હતો.


હું તો યહુદી છું, મારો જનમ કિલીકિયા પરદેશના, તાર્સસ શહેરમાં થયો, પણ આ નગરમાં ગમાલીએલની પાહે બેહાડીને ભણાવવામાં આવ્યો, અને બાપ દાદાના નિયમોને હારી રીતે શિખવાડવામાં આવ્યા, અને પરમેશ્વર હાટુ એવું મન લગાડુ હતુ, જેવા કે તમે આજે છો.


રાજ્યપાલે સીઠ્ઠી વાસીને કીધું કે, “આ પાઉલ કિલીકિયા પરદેશનો છે.”


ઈ જ વખતે તેઓએ મને મંદિરમાં શુદ્ધ થાવાની વિધિ પુરી કરતાં જોયો, ન્યા કોય ગડદી કે ન્યા કોય દેકારો નોતો. પણ ન્યા આસિયાના થોડાક યહુદી લોકો હાજર હતા, જેઓએ હુલ્લડ કરયુ, જે તેઓની લાયક હતું,


ઘણીય વાર મે તેઓને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં સજા કરાવી અને એણે મસીહની નિંદા કરવાની કોશિશ કરી. હું એની ઉપર એટલો બધો ગુસ્સે હતો કે, હું તેઓની સતાવણી કરવા હાટુ બીજા શહેરોમાં હોતન ગયો.


પણ એણે જે કાય કીધું હતું એનો જવાબ તેઓ દય હક્યાં નય, કેમ કે પવિત્ર આત્માએ સ્તેફનને બુદ્ધિથી બોલવામાં મદદ કરી.


તો પછી, આપણે બુદ્ધિશાળી લોકોના વિષે શું કય હકી છયી? યહુદી નિયમના શિક્ષકો વિષે આપડે શું કય હકી છયી? આપડે જગતમાં એવા લોકોના વિષે શું કય હકી છયી જે બોલવામાં સાલાક છે? પરમેશ્વરે ઈ બધાયને મુરખા બનાવી દીધા છે અને પોતાની બુદ્ધિને નકામી દેખાડી છે.


યરુશાલેમ શહેરથી ગયા પછી હું સિરિયા અને કિલીકિયાના દેશોમાં ગયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ