પણ શરમજનક અને ગુપ્ત કામો કરવાનું બંધ કરી દીધુ છે, અને અમે સાલાકી કરતાં નથી કે અમે પરમેશ્વરનાં વચનમાં ભેળસેળ કરતાં નથી, પણ હાસાયના પુરેપુરા અંજવાળામાં પરમેશ્વરની હાજરીમાં જીવી છયી, અને દરેકના અંતર આત્મામાં અમારી લાયકાતની ખાતરી થાય ઈ રીતે રેવાનો પ્રયત્ન કરી છયી.
વિશ્વાસથી જ મુસાના માં-બાપે મુસાના જનમ થયા પછી ત્રણ મયના હુધી હતાડીને રાખ્યો, કેમ કે તેઓએ જોયું કે, એનું બાળક સાધારણ નથી, અને તેઓ રાજાના હુકમને ના પાડવામાં નથી બીતા.