તઈ મે તરત એને લેવા હાટુ તારી પાહે માણસો મોકલ્યા, અને તને ભલાય કરી કે આયા આવી ગયો. હવે આપડે બધાય આ હાટુ ભેગા થયા કે તારાથી ઈ બધુય હાંભળે, જે કાય પરમેશ્વરે તને કીધું છે.
તઈ પાઉલે ઈ જાણીને થોડાક સદુકી ટોળાના લોકો અને થોડાક ફરોશી ટોળાના લોકોને, મોટી સભામાં રાડ નાખીને કીધું કે, “હે ભાઈઓ, હું ફરોશી ટોળાનો માણસ છું અને મારા બાપદાદા પણ ફરોશી ટોળાના છે, અને મારો ન્યાય ઈ હાટુ થાય છે. કેમ કે મારી આશા છે કે પરમેશ્વર લોકોને મરેલામાંથી જીવતા કરશે.”
પાઉલે કીધું કે, “પરમેશ્વરથી મારી પ્રાર્થના આ છે કે શું થોડાકમાં જ, શું બોવમાં, ખાલી તુ જ નય, પણ જેટલા લોકો આજ મારું હાંભળે છે, મારી ઈચ્છા છે કે, તમે બધાય મારી જેમ મસીહ બનશો, પણ એક કેદીના રૂપમાં નય.”
ત્રણ દિ પછી એને યહુદી લોકોના સરદારને બોલાવ્યો, અને જઈ ઈ ભેગા થયા તો એને કીધું કે, “હે ભાઈઓ, મે પોતાના લોકોના કે બાપ દાદાના વેવારની વિરોધમાં કાય પણ નથી કરયું, તોય આરોપી બનાવીને યરુશાલેમ શહેરથી રોમ સરકારના હાથમાં હોપવામાં આવ્યો.
આ કારણથી હું, પાઉલ તમારી હાટુ પ્રાર્થના કરું છું. હું જેલખાનામાં છું કેમ કે, હું મસીહ ઈસુનું કામ કરું છું, જેમ કે બિનયહુદીઓ હાટુ હારા હમાસારનો પરચાર કરવો છે.
પણ હવે આપડા તારનાર ઈસુ મસીહ આવી ગયા છે, અને એણે આપડી ઉપર પોતાની કૃપા કરી છે, અને એણે મરણની તાકાતને હરાવી દીધી છે, અને હારા હમાસાર દ્વારા અનંતજીવનનો મારગ બતાવ્યો છે.
પરમેશ્વરનાં જે હારા હમાસાર પરચાર કરું છું, ઈ હાટુ હું એક અપરાધીની જેમ જેલખાનામાં દુખ સહન કરી રયો છું કેમ કે, હું આ હારા હમાસાર પરચાર કરું છું પણ હારા હમાસારને ફેલાવા હાટુ કોય રોકી હકતું નથી.