30 તઈ રાજા અને રાજ્યપાલ અને બેરનીકે અને એની હારે બેહનારા ઉભા થયને અને વયા ગયા.
પણ જો આ વાદ-વિવાદ શબ્દો, અને નામો, અને તમારા નિયમના વિષે છે, તો તમે જ જાણો, કેમ કે હું આવી વાતો ઉપર ન્યાય નથી કરવા માંગતો.”
બીજા દિવસે, જઈ આગ્રીપા રાજા અને એની નાની બહેન બેરનીકે બોવ ધુમધામથી આવી, અને સિપાયના આગેવાનો અને શહેરના મુખ્ય લોકોની હારે સભામાં પુગીયા, તઈ ફેસ્તસે પાઉલને લીયાવાની આજ્ઞા દીધી.
જઈ ઈ જઈ રયા હતાં તઈ અંદરો અંદર કેવા લાગ્યા કે, “આ માણસે મારી નાખવા અને જેલખાનામાં જાવા લાયક જેવું કાય કામ નથી કરયુ.”
પણ તારો વિસાર શું છે? ઈ અમે તારાથી હાંભળવા માંગી છયી, કેમ કે અમે જાણી છયી કે, દરેક જગ્યાએ આ પરભુના મારગની વિરોધમાં લોકો વાતો કરે છે.”