પણ એની વાત તો માનતો, કેમ કે એમાંથી લગભગ સ્યાલીસથી વધારે માણસો પાઉલને મારી નાખવા માગે છે, તેઓએ આ હમ ખાધા છે કે, જ્યાં લગી પાઉલને મારી નો નાખી ન્યા લગી કાય પણ ખાહુ-પીહુ નય. અત્યારે જ તેઓ તૈયાર છે અને તારા નિર્ણયની રાહ જોવે છે.”
અને જઈ મને બતાવવામાં આવ્યું કે ઈ લોકો આ માણસને મારી નાખવાની તૈયારીમાં છે, તો મે એને તરત તારી પાહે મોકલી દીધો, અને ઈ યહુદી લોકોને જેઓએ એના ઉપર આરોપ લગાડો છે, હુકમ આપ્યો કે તારી હામે એના ઉપર આરોપ લગાડે.
પણ મસીહે આપણને ઈ હરાપથી બસાવ્યા છે, જે શાસ્ત્ર લાવે છે. જઈ વધસ્થંભ ઉપર મસીહનું મોત થયુ, તો એણે આપડા પાપોની હાટુ પોતાની ઉપર હરાપને લય લીધા. કેમ કે, શસ્ત્રમાં લખ્યું છે કે, “જે કોય પણ વધસ્થંભ ઉપર મરી જાય તે હરાપિત છે.”