Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 23:11 - કોલી નવો કરાર

11 ઈ જ રાતે પરભુ ઈસુએ પાઉલની પાહે આવીને કીધું કે, “હે પાઉલ હિમંત રાખ; કેમ કે જેવી તે યરુશાલેમ શહેરમાં સાક્ષી દીધી છે, એવી જ રોમ શહેરમાં પણ સાક્ષી આપવી જોહે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 23:11
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ તરત ઈસુએ તેઓને કીધુ કે, “હિંમત રાખો, એતો હું છું, બીવોમાં.”


અને મે તમને જે જે આજ્ઞાઓ આપી છે, ઈ બધી પાળવાનું તેઓને શીખવતા જાવ, અને યાદ રાખો અને જોવ, જગતના છેલ્લા વખત હુધી હું તમારી હારે છું.”


અને લોકો પથારીમાં પડેલાં એક લકવાવાળા માણસને પથારીમાં ઉપાડીને ઈસુની પાહે લાવ્યા. અને ઈસુએ તેઓનો વિશ્વાસ જોયને લકવાવાળાને કીધુ કે, “હે દીકરા, હિંમત રાખ તારા પાપો માફ થયા છે.”


કેમ કે, મારે પાચ ભાઈઓ છે; અને ઈ તેઓને સેતવણી આપી હકે, જેથી તેઓને આ પીડાની જગ્યા ઉપર નો આવવું પડે.”


“હું તમને અનાથ નય રાખું, હું તમારી પાહે ફરીને પાછો આવય.


હું ઈ વાત તમને ઈ હાટુ કવ છું કે, તમને મારા કારણે શાંતિ મળે. જગતમાં તમને દુખ થાય છે, પણ હિમંત રાખો, કેમ કે મે આ જગતના દુખો ઉપર જીત મેળવી છે.”


પરભુએ એક રાતે દર્શન દ્વારા પાઉલને કીધું કે, “બીતો નય, પણ વચનનો પરસાર કરતો જાય, અને મૂગો નો રેય.


જઈ આ વાતો થય ગય તો પાઉલે મકદોનિયા અને અખાયા પરદશોના વિશ્વાસી લોકોને મળ્યા પછી, યરુશાલેમ શહેરમાં જાવાનો નિર્ણય કરયો, અને કીધું કે, “ન્યા ગયા પછી રોમ શહેરમાં પણ જાવું જરૂરી છે.”


કેમ કે દાઉદ રાજા ઈસુની વિષે કેતો હતો, કે, હું પરભુને સદાય મારી હામે જોતો રયો, કેમ કે ઈ મારા જમણી બાજુ છે, જેથી હું ઈ લોકોથી નો બીવ જે મારું નુકશાન કરવા માગે છે.


હવે, હું પવિત્ર આત્માની આધીન થયને યરુશાલેમ શહેર (જેને અખાયા પરદેશ પણ કેવામાં આવતો હતો) માં જાવ છું, અને નથી જાણતો કે ન્યા મારા ઉપર શું થાહે.


કેમ કે, તુ એની તરફથી બધાય લોકોની હામે ઈ વાતોનો સાક્ષી થાય, જે તે જોય અને હાંભળી છે.


અને એને જોયને કે ઈ મને કેય છે કે, “જલ્દી યરુશાલેમ શહેરમાંથી ઉતાવળે નીકળી જા, કેમ કે ઈ લોકો જે આયા છે; મારા વિષેની તારી સાક્ષી માનશે નય.”


જે કાય હું કરવા માગું છું, એને કરવા હાટુ હું આઝાદ છું હું ગમાડેલો ચેલો છું મે ઈસુ આપડા પરભુને જોયા છે. જે કામો પરભુએ મને કરવા હાટુ આપ્યુ હતું એનું પરિણામ તમે છો.


ન્યા હુધી કે, રાજા કૈસરના રાજ ભવનના સિપાઈઓની બધીય ટુકડીમાં અને ન્યાના બધાય લોકોમા જાહેર થયા છે, કે, હું જેલખાનામાં છું કેમ કે, હું મસીહનો સેવક છું


ઈ વખતમાં પરભુએ મને સામર્થ આપીને અને મારી મદદ કરી, જેથી હું ઈસુ મસીહની વિષે હારા હમાસારનો પરચાર હારી રીતેથી કરવાને લાયક થય હકુ, અને બિનયહુદીઓના બધાય લોકો હાંભળી હકે. અને એણે મને ભૂખા સિંહના મોઢામાંથી બસવાની જેમ મોતથી મને બસાવ્યો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ