19 મે કીધું કે, હે પરભુ, ઈ તો તમે જાણો છો કે, હું તારા ઉપર વિશ્વાસ કરનારાઓને જેલખાનામાં નાખી અને બધીય યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં કોરડા મરાવતો હતો.
પણ તમે માણસોથી સાવધાન રયો કેમ કે, તમારા દુશ્મનો તમને કોરાટમાં લય જાહે અને તેઓના યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં તમને કોરડા મારશે.
મે માણસો અને બાયુને બાંધી બાંધીને, અને જેલખાનામાં નાખી નાખીને, પરભુના મારગ ઉપર હાલનારાને ન્યા લગી સતાવ્યા કે એને મારી હોતન નખવા.
પણ શાઉલ મંડળીને સંતાવતો હતો, અને ઘરે-ઘરે ઘરીને વિશ્વાસી માણસ અને બાયુઓને ઢહડી ઢહડીને જેલખાનામાં નાખી દેતો હતો.
ઈ વખત દરમિયાન યરુશાલેમ શહેરમાં પ્રમુખ યાજકના કેવાથી શાઉલ હજી લગી પરભુ ઈસુના ચેલાઓને મારી નાખવાની ધમકી આપતો હતો.