આ વાત હાંભળીને, પિલાત ઈસુને બારે લીયાવ્યો અને ન્યાયાસન ઉપર બેઠો, જે પાણાના ચબુતરા નામની જગ્યા ફરસબંદી હતી, જેને હિબ્રૂ ભાષામાં ગાબ્બાથા કેવામાં આવતો હતો.
આ અપરાધનું લખાણ ઘણાય યહુદી લોકોએ વાસ્યું, કેમ કે આ જગ્યાએ ઈસુને વધસ્થંભે સડાવવામાં આવ્યો હતો, ઈ યરુશાલેમ શહેરની પાહે હતી, અને આ લખાણ ગ્રીક ભાષા, લેટીન ભાષા અને હિબ્રૂ ભાષામાં લખેલુ હતું.
તઈ પિતરે તેઓને હાથથી ઈશારો કરયો કે, સૂપ રયો, અને તેઓને બતાવ્યું કે, પરભુ કેવી રીતે એને જેલખાનામાંથી કાઢી લીયાવો છે, પછી કીધું કે, “યાકુબ અને બીજા વિશ્વાસી લોકોને મારી વિષે કય દેજો.” તઈ પોતે ન્યાંથી નીકળીને બીજી જગ્યા ઉપર વયો ગયો.
યહુદી ટોળામાં થોડાક લોકોએ એલેકઝાંડરના ટોળાની હામે ધકેલી દીધા, પણ એલેકઝાંડરને હાથથી ઈશારો કરીને ટોળાના લોકોને બંધ રેવાનું કીધું, અને પોતાના બસવા હાટુ ટોળાને લોકોને કાય કેવાની કોશિશ પણ કરી રયો હતો.
ઈ દિવસોમાં વિશ્વાસીઓની સંખ્યા વધવા લાગી, તઈ ગ્રીક ભાષા બોલનારા યહુદી વિશ્વાસી હિબ્રૂ ભાષા બોલનારા યહુદી વિશ્વાસીની હામાં કચ કચ કરવા મંડયા કે, દરોજના ભાગલાઓમાં અમારી વિધવાઓને ટાળવામાં આવે છે.
એક રાજા હતો જે તેઓને નિયંત્રણ કરતો હતો, ઈ ઈજ દુત છે જેણે ઊંડાણનો ખાડો ખોલ્યો હતો, હિબ્રૂ ભાષામાં એનુ નામ અબેદોન છે અને ગ્રીક ભાષામાં આપોલ્યોન છે. જેનો અરથ છે ઈ જે નાશ કરે છે.