કેમ કે પાઉલે એફેસસ શહેરમાં ઉતારવાનો નિર્ણય કરયો હતો, કેમ કે ઈ આસિયા પરદેશમા હજી વધારે વખત કાઠવા નોતો માંગતો, કેમ કે ઈ ઉતાવળમાં હતો કે, જો થય હકે તો ઈ પંસાસમાના તેવારના દિવસે યરુશાલેમ શહેરમાં રેય.
અને તમે પોતે જાણો છો કે, તમારી પાહે આવ્યા પેલા ફિલિપ્પી શહેરમાં દુખ અને અપમાન વેઠયા તો પણ અમને પરમેશ્વરે એવી હિંમત આપી કે, ઘણાય બધાય વિરોધ અમારી હામે થયા તો પણ પરમેશ્વરનાં હારા હમાસાર તમને હભળાવી.
જઈ તુ આવ તો ઈ ઝભ્ભાને લેતો આવજે જેને હું ર્કાપસના ઘરે ત્રોઆસ શહેરમાં મુકીને આવ્યો છું, મારી વાળેલી સોપડીઓ હોતન લેતો આયજે. ખાસ કરીને ઈ જે બકરીના સામડાની બનાવેલી છે.