ન્યા એને આકુલા નામનો એક યહુદી માણસ મળયો, જેનો જનમ પુન્તુસ પરદેશમા થયો હતો, ઈ પોતાની બાયડી પ્રિસ્કીલાની હારે ઈટાલી દેશમાંથી આવ્યો હતો, કેમ કે, કલોડિયસ રાજાએ બધાય યહુદી લોકોને રોમ રાજ્યમાંથી કાઢી નાખવાની આજ્ઞા આપી હતી, ઈ આજ્ઞાને કારણે ઈ કરિંથ શહેરમાં આવ્યા.
એનાથી હવે ખાલી આ વાતની બીક નથી કે, આપડો આ ધંધાનો અધિકાર વયો જાહે, પણ આ તો મહાન દેવી આર્તેમિસના મંદિરનું કાય મહત્વ રેહે નય, અને જે દેવીનુ ભજન આખાય આસિયા પરદેશમા અને આખા જગતમાં થાય છે, એની મહિમા પણ ઓછી થય જાહે.”
કેમ કે પાઉલે એફેસસ શહેરમાં ઉતારવાનો નિર્ણય કરયો હતો, કેમ કે ઈ આસિયા પરદેશમા હજી વધારે વખત કાઠવા નોતો માંગતો, કેમ કે ઈ ઉતાવળમાં હતો કે, જો થય હકે તો ઈ પંસાસમાના તેવારના દિવસે યરુશાલેમ શહેરમાં રેય.
બેરિયા શહેરના પૂર્હસનો દીકરો સોપાતર અને થેસ્સાલોનિકા શહેરમાંથી આરિસ્તાર્ખસ અને સેકુંદસ, અને દર્બેનો શહેરનો ગાયસ, અને લુસ્ત્રા શહેરનો તિમોથી, અને આસિયાના પરદેશનો તુખિકસ અને ત્રોફીમસ; જેઓ આસિયા પરદેશ હુધી અમારી હારેના યાત્રી હતાં.
ઈ જ વખતે તેઓએ મને મંદિરમાં શુદ્ધ થાવાની વિધિ પુરી કરતાં જોયો, ન્યા કોય ગડદી કે ન્યા કોય દેકારો નોતો. પણ ન્યા આસિયાના થોડાક યહુદી લોકો હાજર હતા, જેઓએ હુલ્લડ કરયુ, જે તેઓની લાયક હતું,
અદ્રમુત્તિયા શહેરના એક વહાણ ઉપર આસિયા પરદેશના કાંઠેની જગ્યોએ જાવાનો હતો, ઈ જ વહાણના દ્વારા અમે અમારી યાત્રા સાલુ કરી, અને આરિસ્તાર્ખસ નામનો જે મકદોનિયાના પરદેશના થેસ્સાલોનિકાના શહેરના રેનારા પણ અમારી હારે હતા.
પણ થોડાક લોકોએ સ્તેફનનો વિરોધ કરયો, અને ઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના લોકો હતાં, અને ઈ ગુલામીથી મુક્ત કેવાતા હતાં, ઈ લોકો કુરેન ગામ અને એલેકઝાંન્ડ્રિયા, કિલીકિયા એમ જ આસિયા પરદેશના પણ હતાં, આ લોકો સ્તેફનની હારે વાદ-વિવાદ કરવા મડયા.
આસિયા પરદેશની મંડળીઓને વિશ્વાસીયો ની તરફથી તમને સલામ, આકુલા અને એની બાયડી પ્રિસ્કીલાનો અને ઈ મંડળી જે એના ઘરે સમુહમાં ભેગી થાય છે ઈ હોતેન તમને પરભુમાં સલામ કેય છે.
વાલા, વિશ્વાસુ ભાઈઓ અને બહેનો આપડે ઈચ્છીએ છયી કે, તમે ઈ મુશ્કેલીયો વિષે જાણો, જે આસિયા પરદેશમાં આપડે સહન કરવુ પડયું હતું, અને આ આપણને એવું ભારે બોજ લાગ્યું, જે આપડા સહન કરવાનાં સામર્થ્યથી વધારે હતું, ન્યા હુધી કે, આપણે જીવવાની પુરી આશા છોડી દીધી હતી.
હું પિતર જે ઈસુ મસીહનો ગમાડેલો ચેલો છું, આ પત્ર લખી રયો છું હું આ પત્ર પરમેશ્વરનાં ગમાડેલા ઈ લોકોને લખી રયો છું જો કે પોન્તસ, ગલાતિયા, કપાદોકિયા, આસિયા, અને બિથુનિયા પ્રાંતના જુદા જુદા શહેરોમાં વિદેશીઓની જેમ રેય છે.
હું, યોહાન, આ પત્ર તમને હાતેય મંડળીઓના વિશ્વાસીઓ હાટુ લખી રયો છું, જે આસિયા પરદેશમા આવેલી છે, હું પ્રાર્થના કરું છું કે તમને પરમેશ્વર તરફથી કૃપા અને શાંતિ મળે, આ ઈ જ પરમેશ્વર છે; જે વખતની શરુઆતથી લયને અત્યાર હુધી અને સદાય હાટુ નથી બડલાતા, અને પરમેશ્વરની રાજગાદીની હામે જે હાત આત્માઓ છે એની તરફથી.