Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 2:24 - કોલી નવો કરાર

24 તોય પરમેશ્વરે એને મોત પછી પાછો જીવતો કરી દીધો. એને એણે મોતની તાકાતથી છુટ્ટો કરયો, કેમ કે, તેઓ ઈસુને મોતની હાટુ પોતાના કાબુમાં રાખી હકતા નથી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 2:24
45 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઓ ધણી, અમને યાદ છે કે, ઈ ઠગ જઈ જીવતો હતો, તઈ ઈ કેતો હતો કે, મારા મોતના ત્રણ દિવસ પછી હું પાછો જીવતો થાય.


કોય પણ મારો જીવ મારી પાહેથી લય હકતો નથી, પણ હું મારી મરજીથી એને આપું છું મને એને આપવાનો અધિકાર છે, અને પાછો લય લેવાનો પણ અધિકાર છે. કેમ કે, આ ઈજ આજ્ઞા છે જે મને મારા બાપ પાહેથી મળી છે.


આપડે જાણી છયી કે, શાસ્ત્ર જે કેય છે ઈ હાસુ છે, જેને પરમેશ્વરનાં વચન આપવામાં આવ્યું, જો પરમેશ્વરે તેઓને દેવ કીધા.


આ કારણે ઈ વિશ્વાસ નો કરી હકે, કેમ કે યશાયા આગમભાખીયાએ ઈ પણ કીધું કે,


કેમ કે, ઈ હજી હુધી શાસ્ત્રના ઈ લેખને નોતા હમજી હક્યાં કે, જેની પરમાણે ઈસુનું મરણમાંથી જીવતું થાવુ ફરજીયાત હતું.


“મારા ભાઈઓ, પવિત્ર આત્માએ ઘણાય વખત પેલા રાજા દાઉદ દ્વારા યહુદાની વિષે આગમવાણી કરી કે, જેમ કે ઈ ઈસુને પકડાવનારા લોકોની આગેવાની કરનારો બની જાહે. ઈ જરૂરી હતું કે, યહુદા વિષે શાસ્ત્રમા લખેલુ હતું ઈ પુરું થાય.”


પણ પરમેશ્વરે એને મરેલામાંથી પાછો જીવતો કરી દીધો,


પણ ઈસુને પરમેશ્વરે મરેલામાંથી જીવતા કરી દીધા, એનો દેહ કબરમાં હડયો નય.


કેમ કે, એણે એક દિવસ ઠેરવો છે, જેનાથી ઈ એના માણસના દ્વારા હાસાયથી જગતનો ન્યાય કરશે, જેને એણે ઠેરવો છે, અને એને મરણમાંથી જીવતા કરીને, ઈ વાતને સાબિત કરીને બધાય લોકોને બતાવી દીધુ છે.”


ઈ ઈસુને પરમેશ્વરે મરેલામાંથી જીવાડીયો, એના અમે બધાય સાક્ષી છયી.


અને તમને જેણે અનંતજીવન દીધુ છે, એને તમે મારી નાખ્યો, જેને પરમેશ્વરે મરણમાંથી પાછો જીવતો કરયો હતો, અને ઈ વાતના અમે સાક્ષી છયી.


પરમેશ્વરે પોતાના ચેલાઓને મરેલામાંથી પાછા જીવાડીને બધાયની પેલા તમારી પાહે મોકલ્યો કે, તમારામાથી દરેકને એના ખરાબ કામોમાંથી છોડાવીને આશીર્વાદ આપે.


તો તમે બધાય હજી પણ ઈઝરાયલ દેશના લોકોને જાણી લ્યો કે, આ નાઝરેથ ગામના ઈસુ મસીહના નામથી કરવામા આવ્યો છે, જે ઈસુને તમે એને વધસ્થંભ ઉપર સડાવી દીધો હતો, પણ પરમેશ્વરે એને મરણમાંથી પાછો જીવતો કરી દીધો, આજે ઈ જ નામથી આ માણસ તમારી હામો હાજો ઉભો છે.


આપડા વડવાના પરમેશ્વરે ઈસુને મરણમાંથી પાછો જીવતો કરી દીધો છે, જેને તમે વધસ્થંભ ઉપર સડાવી દીધો હતો.


જો તુ તારા મોઢેથી ઈસુને પરભુ તરીકે કબુલય અને પરમેશ્વરે એને મરણમાંથી પાછો જીવતો કરયો, એવો વિશ્વાસ તારા હ્રદયથી કરય, તો તુ તારણ પામય.


કેમ કે, મસીહ એટલે મરયો અને મરેલામાંથી પાછો જીવતો થય ગયો કે, આ ઈ જ છે જેને જીવતા અને મરેલા લોકો પરભુને માનવા જોયી.


પણ આપડી હાટુ પણ છે, જેને પરમેશ્વર ન્યાયી જાહેર કરશે, એટલે જો આપડે પરમેશ્વરમાં વિશ્વાસ કરશું, જેણે આપડા પરભુ ઈસુને મરણમાંથી જીવતા કરયા, તો આપડે પણ વિશ્વાસના કારણે ન્યાયી માનવામાં આયશું.


ઈ હાટુ જઈ આપડે જળદીક્ષા લીધી તો ઈ એવુ હતું કે, જેમ આપડે મસીહની હારે મરી ગયા અને એની હારે દાટીદેવામાં આવ્યા, જેથી જેમ મસીહ પરમેશ્વર બાપની મહિમા દ્વારા મરણમાંથી જીવતો કરવામા આવ્યો, એમ જ આપડે પણ એક નવુ જીવન જીવશુ.


અને જો પરમેશ્વરનો આત્મા જેણે ઈસુને મરણમાંથી જીવાડ્યો, તમારામા વસેલો છે, તો એણે મસીહને મરણમાંથી જીવતો કરયો ઈ તમારા મોત પામનાર દેહને પણ પોતાની આત્મા દ્વારા જે તમારામા રેય છે ઈ જીવાડશે.


કોય પણ આપડી નિંદા નથી કરી હકતો કેમ કે, આ ઈસુ મસીહ છે, જે આપડી હાટુ મરી ગયો અને મરેલામાંથી જીવતો ઉઠાડવામાં આવ્યો હતો, અને પરમેશ્વરનાં જમણા હાથે બેઠો છે અને જે આપડી તરફથી આપડી હાટુ વિનવણી કરે છે.


હવે જો, મસીહનો આ પરચાર કરવામાં આવે છે કે, ઈ મરેલામાંથી જીવતો ઉઠયો, તો તમારામાંથી કેટલાય કેય છે કે, મરેલામાંથી પાછુ જીવતુ ઉઠવાનું છે જ નય!


જો મડદાને જીવતો કરવામાં આવતો નથી, તો આપણે ઈ કયને પરમેશ્વરને પારખ્યો છે કે, એણે મસીહને જીવતો કરયો હતો, પણ ખરેખર એણે એવું કરયુ નય.


પણ હાસુ તો એમ છે કે, પરમેશ્વરે ખરેખર મસીહને મોતમાંથી જીવતો કરયો, આ ખાતરી છે કે, પેલા ઘણાય લોકો જે મરી ગયા છે તેઓને પણ જીવતા કરશે.


અને એને દાટી દીધો અને શાસ્ત્રના વચનો પરમાણે ત્રીજા દિવસે પરમેશ્વરે એને મરેલામાંથી જીવતો કરી દીધો.


એના બદલે, આપડુ દેહ મહત્વનું છે કેમ કે, જેવી રીતે પરમેશ્વરે પરભુ ઈસુને મરણમાંથી જીવતા કરવા હાટુ પોતાના સામર્થનો ઉપયોગ કરયો હતો, ઠીક એવી જ રીતે ઈ આપણને પણ મરણમાંથી જીવાડશે.


કેમ કે આપણે પરમેશ્વરને ઓળખીએ છયી કે, જેણે પરભુ ઈસુને મરેલામાંથી પાછા જીવતા કરયા, તેઓ આપણને પણ ઈસુના ભાગીદાર હમજીને પાછા જીવતા કરશે, અને પોતાની હામે ઉભા થાવા હાટુ અમને તમારી હારે જ્યાં પરમેશ્વર છે ન્યા લીયાયશે.


હું પાઉલ જે એક ગમાડેલો ચેલો છું, હું માણસો દ્વારા નથી પણ હું આપડા ઈસુ મસીહ અને જેને મરણમાંથી જીવતો કરનાર પરમેશ્વર બાપ દ્વારા એક ગમાડેલો ચેલો થાવા હાટુ ગમાડવામાં આવેલો છે.


જેણે મસીહને મરણમાંથી જીવતો ઉઠાડયો અને એને સ્વર્ગમાં પરમેશ્વરનાં જમણા હાથ બાજુ માનની જગ્યાએ બેહાડયો છે.


કેમ કે, જઈ તમે જળદીક્ષા લીધી તઈ મસીહની જેમ દાટી દીધો હતો અને નવા સ્વભાવ હારે મસીહની જેમ જીવતો કરયો હતો. એવુ ઈ હાટુ થયુ કેમ કે, તમે વિશ્વાસ કરયો કે, પરમેશ્વરે પોતાના સામર્થ દ્વારા મસીહને મારવા પછી ફરીથી જીવતો કરી દીધો.


અને તમે કેવી રીતે પરમેશ્વરનાં દીકરાને સ્વર્ગથી પાછા આવવાની રાહ જોય રયા છો, જેને પરમેશ્વરે મરેલામાંથી પાછો જીવતો કરયો કા ઈસુને, જે પરમેશ્વરનાં આવનાર ગુસ્સાથી આપણને બસાવે છે.


હવે શાંતિ આપનાર પરમેશ્વર, જે આપડા ઘેટાના મોટા રખેવાર આપડા પરભુ ઈસુને સદાય કરારના લોહીથી મરેલાઓમાંથી પાછા જીવતા કરયા,


કેમ કે, માણસ પરમેશ્વરનો દીકરો છે, જે માસ અને લોહીથી બનેલો છે, ઈ હોતન ઈ જ રીતે તેઓના ભાગીદાર થાય, જેથી ઈ પોતે મરીને મોત ઉપર રાજ કરનારનો, એટલે શેતાનનો નાશ કરે.


મસીહે જે કાય કરયુ છે, એની લીધે તમે પરમેશ્વર ઉપર ભરોસો કરી રયા છો, જેણે મસીહને મોતમાંથી પાછો જીવતો કરી દીધો, એને બોવ જ માન દીધુ ફળ સ્વરૂપે પરમેશ્વર ઈ જ છે, જેની ઉપર તમે ભરોસો કરી રયા છો અને આશા રાખો છો કે ઈ તમારી હાટુ મહાન કામ કરશે.


હું જીવતો છું, ભલે હું એકવાર મરી ગયો હતો અને ખરેખર હું સદાય હાટુ જીવતો છું! મારી પાહે મોત ઉપર સત્તા છે અને હું અધોલોકનું નિયંત્રણ કરું છું


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ