Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 19:9 - કોલી નવો કરાર

9 પણ કેટલાક લોકોએ મન કઠણ કરીને પરભુની વાતનો નકાર કરીને, લોકોની હામે પરભુના મારગની નિંદા કરી, તઈ એણે તેઓને મુકી દીધા અને વિશ્વાસી લોકોને હારે લયને વયો ગયો. ઈ દરોજ તુરાનસ શાળામાં શિક્ષણ દેતો હતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 19:9
39 ပူးပေါင်းရင်းမြစ်များ  

તેઓને જાવા દયો; ઈ આંધળા મારગ દેખાડનારા છે, અને જો આંધળો આંધળાને દોરી હકતો નથી, જો ઈ દોરે તો બેય ખાડામાં પડશે.


ખરાબ અને છીનાળવા લોકો પરમેશ્વરની પાહે સમત્કારીક નિશાની માગે છે; પણ યુના આગમભાખીયાની હારે જે કાય થયુ ઈ નિશાની સિવાય બીજી કોય નિશાની એને અપાહે નય.” અને તેઓ એણે છોડીને વયા ગયા.


ઈ જ વખતે ઈસુએ લોકોના ટોળાને કીધુ કે, “શું તમે તલવારો અને લાકડીઓ લયને સોરની જેમ મને પકડવા નીકળી આવ્યા છો? હું દરોજ મંદિરમાં બેહીને શિક્ષણ આપતો હતો, તઈ તમે મને પકડયો નય.”


પરમેશ્વરે તેઓની આંખુ આંધળી અને તેઓના મનને કઠોર કરી નાખ્યા છે, ક્યાક એવુ નો થાય કે, તેઓ આંખુથી જોય અને મનથી હમજે અને તેઓ પસ્તાવો કરે અને તેઓ પાપોની માફી હાટુ મને પ્રાર્થના કરે અને ઈ કારણે હું તેઓને હાજા કરી દવ.


અને જઈ ઈ શાઉલને મળો તો એને અંત્યોખ શહેરમાં લાવ્યો, અને આ થયુ કે તેઓ એક વરહ હુધી મંડળીના લોકોની હારે મળતા રયા, અને ઘણાય લોકોને પરભુ ઈસુના વિષે સંદેશો આપતા રયા, અને ઈસુ મસીહના ચેલાઓ બધાયની પેલા અંત્યોખ શહેરમાં જ મસીહ કેવાણા.


પણ શહેરના લોકોમા ભાગલા પડી ગયા હતા, એમા કેટલાક લોકો તો વિરોધ કરનારા યહુદી લોકોની બાજુ અને કેટલાક ગમાડેલા ચેલાઓની બાજુ થય ગયા હતા.


એમાંથી થોડાક યહુદી લોકોએ, અને પરમેશ્વરની બીક રાખનારા બિનયહુદીઓએ, અને બોવ બધીય આબરૂદાર બાયુએ વિશ્વાસ કરી લીધો, અને પાઉલ અને સિલાસની હારે ભેગા મળી ગયા.


ઈજ વખતે પરભુના મારગમાં હાલનારા વિષે મોટો હુલ્લડ થયો.


જઈ પાઉલ મોટા ટોળાની અંદર જયને લોકોની હારે વાત કરવા માંગતો હતો, પણ વિશ્વાસી લોકોએ એને જાવા દીધો નય.


ઈ હાટુ જાગતા રયો, અને સ્મરણ કરો કે હું ત્રણ વરહ હુધી રાત દિવસ આહુડા પાડી પાડીને, બધાયને સેતવણી દેતો રયો.


મે માણસો અને બાયુને બાંધી બાંધીને, અને જેલખાનામાં નાખી નાખીને, પરભુના મારગ ઉપર હાલનારાને ન્યા લગી સતાવ્યા કે એને મારી હોતન નખવા.


ખાલી એક આરોપ મારી ઉપર લગાડી હકે છે, આ ઈ જ છે કે, જઈ હું એની વસ્સમાં ઉભો રયને ઈ જ અવાજથી કીધું હતું કે, “આજ મારો તમારા દ્વારા ન્યાય કરવામા આવી રયો છે, કેમ કે હું વિશ્વાસ કરું છું કે, પરમેશ્વર ઈ લોકોને મરેલામાંથી જીવતા કરશે.”


પણ તારો વિસાર શું છે? ઈ અમે તારાથી હાંભળવા માંગી છયી, કેમ કે અમે જાણી છયી કે, દરેક જગ્યાએ આ પરભુના મારગની વિરોધમાં લોકો વાતો કરે છે.”


ઓ હઠીલાઓ, અને નાસ્તિકો પરમેશ્વરનો સંદેશો હાંભળવામાં તમે બેરા છો, તમે તમારા વડીલો જેવા છો, તમેય સદાય પવિત્ર આત્માનો વિરોધ કરતાં રયો છો.


ઈ પ્રમુખ યાજકની પાહે ગયો, અને દમસ્કસ શહેરની યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના નામ ઉપર આ અધિકારની છીઠ્ઠીઓ માગી કે, જો એને ઈ મારગનો કોય માણસ કે બાઈ, જે કોય મસીહની વાહે હાલનારો મળે, તો એને બાંધીને યરુશાલેમ શહેરમાં લીયાવવો.


એટલે શું? ઈ જ કે, ઈઝરાયલ દેશની પ્રજા જેને ગોતતી હતી, ઈ તેઓને મળ્યુ નય; પણ પરમેશ્વરે ગમાડેલાઓ એવા થોડાકને જ મળ્યુ છે પરમેશ્વરનાં આમંત્રણ સબંધી બાકીના બધાય બેરા બની ગયા.


ઈ હાટુ ઈ ઈચ્છે એની ઉપર દયા કરે છે; અને ઈ ઈચ્છે એને હઠીલો કરે છે.


કેમ કે, હવે અત્યારે પણ આયા બોવ બધાય લોકો છે જે પરમેશ્વરનાં વચનો હાંભળવા માગે છે, અને જ્યાં પરમેશ્વરનાં ઘણાય વિરોધીઓ છે.


અને એવુ કરનારામાં કાયમ બાધણા થાતા રેય છે, તેઓની બુદ્ધિ બગડી ગય છે, તેઓને લાગે છે કે, પરમેશ્વરની સેવા કરવી માલ-મિલકત કમાવાનું સાધન છે.


તુ જાણે છે કે, આસિયા પરદેશમા રેનારા કેટલાય વિશ્વાસી લોકોએ મને છોડી દીધો છે, એનામાંથી ફુગિલસ અને હેર્મોગેનેસ પણ છે.


તેઓ દેખાડવા હાટુ ભજન કરશે, પણ તેઓ પરમેશ્વરનાં સામર્થ્યને પોતાના ખરાબ જીવનોને બદલવા હાટુ ના પડી દેય છે. એવા લોકોથી છેટા રયો.


તુ પરમેશ્વરનાં વચનનો પરચાર કરવા હાટુ તૈયાર રે, જો પરીસ્થિતિ હારી હોય કે, ખરાબ હોય, પણ તારે લોકોને આ બતાવું જોયી કે, તેઓએ શું ખોટુ કરયુ છે, અને તેઓના પાપ હાટુ ધમકાવ, પણ જેમ તુ તેઓને પુરી રીતે ધીરજની હારે શિખવાડ છો, એમ તેઓને પ્રોત્સાહન પણ આપ.


એના બદલે, તમારામાંથી કોય પાપથી દગો ખાય નય, તમારુ મન કઠોર થય જાય નય, ઈ હાટુ શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે; એવી રીતે “આજનો દિવસ” પુરો નથી થાતો, ન્યા હુધી દરોજ તમે એક-બીજાની મદદ કરો.


પણ ઈ જંગલી જનાવરો જેવા છે, આ જનાવરોને ખબર નથી કે કેવુ વિસારવું જોયી અને એમનો હેતુ ખાલી પકડાય જાવુ અને મરી જાવુ છે. ઈ લોકો કાય પણ કરે છે, જે એના મનમા આવે છે, અને ન્યા હુધી કે, આ ઈ વસ્તુઓનું અપમાન કરે છે, જે એને હમજવામાં પણ નથી આવતી. ઈ પાક્કી રીતે નાશ થય જાહે.


પરમેશ્વરનાં ઘણાય લોકો આવા શિક્ષકોના ખોટા કામોની નકલ કરશે, અને જે કાય પણ તેઓ કરશે, એના લીધે અવિશ્વાસુ લોકો હાસના મારગની નિંદા કરશે.


પણ આ લોકો ઈ વાતોની વિરુધ અપમાનજનક રીતે બોલે છે, જેને તેઓ નથી જાણતા અને જે વાતોને ઈ જાણે છે એને સ્વાભાવિક રીતે વિવેક વગરના જનાવરોની જેમ કરે છે, તો ઈ આવા પાપીલા કામો કરવાથી પોતાનો જ નાશ કરે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ