ઈ હાટુ દેમેત્રિયસ અને એની હારે કારીગરોને કોયના વિરોધમાં કાય ફરિયાદ કરવી હોય તો, તો ન્યાયલયમાં જઈ હકે છે, અને એની ફરિયાદને હાંભળવા હાટુ અધિકારી પણ છે, ન્યા ઈ એકબીજાની ઉપર દોષ લગાડી હકે છે.
મને બીક છે કે અધિકારીઓ આ બધીય દેકારાની વિષે હાંભળશે અને કેહે કે, આપડે રોમી સરકારની હામે જાવાની કોશિશ કરી રયા છયી, ઈ હાટુ કે હુલ્લડનું કોય કારણ નથી, અને અપાડે આ ટોળામાં ભેગા થાવાનો કોય જવાબ નો આપી હકશે.”