જેથી પાઉલ અને બાર્નાબાસ ન્યા બોવ લાંબા વખત હુધી રોકાણા, તેઓ બીક વગર પરચાર કરતાં રયા કેમ કે, તેઓ પરમેશ્વર ઉપર નિર્ભર હતાં, એના દ્વારા સમત્કાર અને અદભુત કામો કરીને જાહેર કરતાં હતા કે, આ કૃપાની વિષે સાક્ષી હાસી હતી.
તઈ બધીય સભાના લોકો સુપ થયને બાર્નાબાસ અને પાઉલની વાતો હાંભળવા લાગીયા કે, પરમેશ્વરે એના દ્વારા બિનયહુદી લોકોમા કેવા મોટા-મોટા કામો અને સમત્કાર દેખાડા હતા.
ગમાડેલા ચેલાઓ દ્વારા સમત્કાર અને અદભુત કામો લોકોને બતાવવામાં આવતાં હતાં, અને બધાય વિશ્વાસી લોકો એક મનના થયને સુલેમાનના ઓસરી; જે મંદિરના ફળીયામાં હતી ન્યા ભેગા થાતા.
તઈ સિમોને પોતે પણ ફિલિપના પરસાર ઉપર વિશ્વાસ કરયો અને જળદીક્ષા લયને ફિલિપની હારે રેવા મંડ્યો. જે નિશાનીઓ અને મોટા-મોટા સામર્થ્યના કામ થાતા જોયને સોકી જાતો હતો.
પરમેશ્વર, હવે ઉદારતાથી તમને પોતાનો આત્મા આપે છે અને તમારામાં સમત્કારના કામ કરે છે. “શું ઈ આ કારણ છે કે, તમે મુસાના શાસ્ત્રનું પાલન કરયુ?” કે પછી “આ ઈ કારણ છે કે, તમે મસીહના હારા હમાસાર હાંભળા અને એની ઉપર વિશ્વાસ કરયો?”