Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 18:8 - કોલી નવો કરાર

8 તઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદાર ક્રિસ્પસેતે પોતાના બધાય પરિવારની હારે ઈસુ ઉપર વિશ્વાસ કરયો, અને ઘણાયે કરિંથી શહેરમાં રેનારા લોકોને પણ હાંભળીને પરભુ ઉપર વિશ્વાસ કરયો અને જળદીક્ષા લીધી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 18:8
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ હાટુ તમે જઈને બધી જાતિના લોકોને ચેલા બનાવો; અને તેઓને બાપ અને દીકરા અને પવિત્ર આત્માના નામે જળદીક્ષા આપતા જાવ.


તઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદારોમાંથી યાઈર નામનો એક માણસ આવ્યો, ને ઈસુને જોયને એને માન આપવા હાટુ એની હામે માથું નમાવીને ઘુટણે પડયો.


જઈ ઈસુ ઈ બાયને હજી કેતા જ હતાં, એવામાં યાઈર યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદારના ઘરેથી થોડાક લોકોએ આવીને કીધુ કે, “હવે તુ ગુરુને તકલીફ શું કામ દે છો? કેમ કે તારી દીકરી તો મરી ગય છે.”


ઈ અને એનો આખો પરિવાર પરમેશ્વરની ભગતી કરતાં હતાં અને પરમેશ્વરથી બીયને હાલતા હતાં, અને ઈ ગરીબ યહુદીઓને બોવ દાન દેતો હતો, અને સદાય પરમેશ્વરની પ્રાર્થના કરતો હતો.


ઈ તને આવી વાતુ કેહે, જેના દ્વારા પરમેશ્વર તારું અને તારા કુટુંબના બધાય લોકોનું તારણ કરશે.”


નિયમમાંથી અને આગમભાખીયાઓની સોપડીમાથી વાસયા પછી યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદારોએ પાઉલ અને બાર્નાબાસની પાહે કેવાડયુ કે, “હે ભાઈઓ, જો લોકોને પ્રોત્સાહન હાટુ તમને કોય વાતો કેવી હોય તો કયો.”


તઈ એણે એને પોતાના ઘરે લય જયને ભોજન ખવડાવ્યુ, અને પોતાના પુરા પરિવારની હારે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરયો, અને બોવ રાજી થયા.


આ પછી પાઉલ આથેન્સ શહેરને મુકીને કરિંથી શહેરમાં આવ્યો.


તઈ બધાય લોકોએ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદાર સોસ્થેનેસને પકડીને ન્યાયાસન આગળ માર મારયો, પણ ગાલિયોએ આ વાત ઉપર કોય પણ ઉપાદી નો કરી.


જઈ આપોલસ કરિંથી શહેરમાં હતો, તો પાઉલ અંદરના પરદેશોમા થયને એફેસસ શહેરમાં આવ્યો, ન્યા થોડાક વિશ્વાસી લોકોને ઈ મળ્યો.


પણ જઈ ઈ લોકોએ ફિલિપને પરચાર દ્વારા પરમેશ્વરનાં રાજ્ય અને પરભુ ઈસુ મસીહના નામના હારા હમાસાર હાંભળ્યા તો એણે ઈસુ મસીહના નામ ઉપર વિશ્વાસ કરયો, અને બોવ માણસો અને બાયુએ વિશ્વાસ કરીને જળદીક્ષા લીધી.


હું કરિંથી શહેરમાં પરમેશ્વરની મંડળીને અને તમને લખી રયો છું, જેને પરમેશ્વરે પોતાના લોકોની જેમ તમને મસીહ ઈસુની હારે એક મંડળી કરીને પોતાના પવિત્ર લોકોની હાટુ બોલાવ્યો છે કેમ કે એણે બીજા બધાયને ગમાડયા છે જે આપડા પરભુ ઈસુ મસીહની દરેક જગ્યાએ સેવા કરે છે.


પરમેશ્વરની ઈચ્છા પરમાણે ઈસુ મસીહનો ગમાડેલો ચેલો થાવા હાટુ ગમાડવામાં આવેલો; હું પાઉલ અને આપડો સાથી વિશ્વાસી ભાઈ તિમોથી આ પત્ર કરિંથી શહેરની મંડળીના વિશ્વાસીયો અને અખાયા પરદેશના બધાય પરમેશ્વરનાં લોકોની હાટુ લખી રયો છું


હું પરમેશ્વરને સાક્ષી રાખીને કવ છું કે, તમારી ઉપર દયા કરીને હું હજી હુંધી કરિંથી શહેરમાં પાછો આવ્યો નથી;


કરિંથી શહેરના વિશ્વાસીઓ, અમે હાસાયથી તમને વાતો કરી છે, અને અમે તમને પુરા હ્રદયથી પ્રેમ કરી છયી.


એરાસ્તસ કરિંથી શહેરમાં રય ગયો, અને ત્રોફીમસ માંદો હતો એટલે હું એને મિલેતસ શહેરમાં મુકીને આવ્યો છું


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ