Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 18:25 - કોલી નવો કરાર

25 એણે પરભુના મારગની શિક્ષણ મેળવેલી હતી, અને મન લગાડીને ઈસુના વિષયમાં ઠીક-ઠીક હંભળાવતો અને શિખવાડતો હતો. પણ ઈ ખાલી યોહાનની જળદીક્ષાની વાતને જાણતો હતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 18:25
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

વગડામાં કોય પોકારનાર લોકોને બોલાવી રયું છે, જે એનુ હાંભળે છે, અને કેય છે કે, “તમારી પોતાની જાતને પરભુનો આવકાર કરવા હાટુ બધીય રીતે તૈયારી કરી લેય, જેની હાટુ ઈ આવવાનો છે.”


અને તેઓએ આવીને એને કીધુ કે, “હે ગુરુ, અમે જાણી છયી કે, તમે હાસુ બોલો છો. અને તમે કોયની પરવા કરતાં નથી કે, લોકો તમારી વિષે શું વિસારે છે કેમ કે, તમે માણસો વસે પક્ષપાત કરતાં નથી, પણ તમે પરમેશ્વરનો મારગ હાસાયથી બતાવો છો, તો હવે અમને બતાવો કે, રોમી સમ્રાટને વેરો આપવાનું હારું છે કે નય?


હું આ ઈ હાટુ કરી રયો છું કે, જેથી તમને દરેક એવી વાતુની હાસી ખબર પડે જે લોકો દ્વારા તમને શીખવાડવામાં આવી છે.


જે ઈસુએ કીધું હતું, ઈ હાંભળીને બધાય લોકો અને વેરો ઉઘરાવનારા જેઓને યોહાને જળદીક્ષા આપી હતી, તેઓએ પરમેશ્વર ન્યાયી છે એમ સ્વીકાર કરયુ.


“હે શેતાનના દીકરા, તુ જે કાય હાસુ છે એનો તુ વેરી છો, ખરાબ કાવતરા અને ભૂંડાયથી ભરેલો છો, તુ સદાય પરમેશ્વરની હાસી વાતોને ખોટમાં બદલવાની કોશિશ કરે છે.


ઈ પાઉલની અને આપડી વાહે આવીને રાડુ નાખવા મંડી કે, “આ માણસ પરમપ્રધાન પરમેશ્વરનો સેવક છે, જે તમને તારણનો મારગ બતાયશે.”


ઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં બીયા વગર બોલવા મંડયો. જઈ પ્રિસ્કીલા અને આકુલા એની વાતો હાંભળી તઈ એને પોતાના ઘરે લય ગયા, અને પરમેશ્વરનો મારગ એને વધારે હારી રીતે બતાવ્યો.


ઈજ વખતે પરભુના મારગમાં હાલનારા વિષે મોટો હુલ્લડ થયો.


પાઉલે એને કીધું કે, “તો પછી ઈ કેવી રીતે જળદીક્ષા લીધી?” તેઓએ કીધું કે, “અમે તો ઈ જળદીક્ષા લીધી, જે યોહાન આપતો હતો.”


પણ કેટલાક લોકોએ મન કઠણ કરીને પરભુની વાતનો નકાર કરીને, લોકોની હામે પરભુના મારગની નિંદા કરી, તઈ એણે તેઓને મુકી દીધા અને વિશ્વાસી લોકોને હારે લયને વયો ગયો. ઈ દરોજ તુરાનસ શાળામાં શિક્ષણ દેતો હતો.


ઈ પ્રમુખ યાજકની પાહે ગયો, અને દમસ્કસ શહેરની યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના નામ ઉપર આ અધિકારની છીઠ્ઠીઓ માગી કે, જો એને ઈ મારગનો કોય માણસ કે બાઈ, જે કોય મસીહની વાહે હાલનારો મળે, તો એને બાંધીને યરુશાલેમ શહેરમાં લીયાવવો.


સખત મેનત કરો અને આળસુ નો બનો, આત્મિક ઉત્સાહમાં બનેલા રયો, પુરા મનથી પરભુની સેવા કરતાં રયો.


લડાયમાં જાનારો સિપાય જગતના કામોમાં પડતો નથી, ઈ હાટુ કે, ઈ પોતાના અધિકારીઓને રાજી કરી હકે.


ઈ હાટુ કે, તમે અંદરો અંદર એક-બીજાની હામે પોતપોતાના પાપોને કબુલ કરો, અને એક-બીજા હાટુ પ્રાર્થના કરો, જેનાથી તમે હાજા થય જાવ. ન્યાયી માણસની પ્રાર્થનાની અસર બોવ વધારે થાય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ