Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 17:28 - કોલી નવો કરાર

28 જેવું કે કોયે લખ્યું છે કે, ઈ આપડી હારે છે જેથી આપડે જીવી, હાલી, ફરી, અને આપડે બનેલા રેયી. ઠીક એમ જ જેવું તમારા કવિઓએ પણ કીધું છે, “આપડે તો એના વંશના છયી.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 17:28
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

પરમેશ્વર તો મરેલાઓનો નથી, પણ જીવતાઓનો પરમેશ્વર છે, કેમ કે, એની લીધે બધાય લોકો જીવે છે.


અનોશ શેથનો, શેથ આદમનો, અને આદમ પરમેશ્વરનો દીકરો હતો.


ઈસુએ એને કીધું કે, “હું જ એક ખાલી છું; જે લોકોને મરેલામાંથી જીવતા કરું છું; અને હું જ એક ખાલી છું જે તેઓને જીવન આપું છું જે કોય મારી ઉપર વિશ્વાસ કરે છે. ઈ મરી જાહે તોય ઈ જીવતો થાહે.


કેમ કે, જેમ બાપને પોતાનામાં જીવન છે, ઈ જ રીતે દીકરાને પણ પોતાનામાં જીવન આપવાનો અધિકાર એણે આપ્યો છે.


અને કાય પણ રસવામાં આવ્યું ઈ પેલા, મસીહ પેલાથી જ હાજર હતો, અને બધીય વસ્તુ એનામાંજ ટકી રય છે.


ક્રીત ટાપુમાં રેનારામાંથી એક, બુદ્ધિશાળી માણસે તેઓના વિષે કીધું છે કે, ક્રીતના લોકો સદાય ખોટુ બોલે છે. ઈ જંગલી જનાવરની જેમ વેવાર કરે છે, આળસુ અને પેટભરા છે.


દીકરો જ પરમેશ્વરની મહિમાનું અજવાળું છે, અને ઈ દરેક પરકારે પરમેશ્વરની જેવો છે, ઈ પોતાના પરાક્રમી વચનો દ્વારા ઈ બધાયને જે બનાવામાં આવ્યું છે એવું બન્યું રેવામાં મદદ કરે છે અને એણે લોકોને એના પાપોથી શુદ્ધ કરયા અને એની પછી સ્વર્ગમાં મહિમાવાન પરમેશ્વરની જમણી બાજુ બિરાજમાન થયો.


પછી આપડા દેહિક બાપ આપણને શિક્ષણ આપતા અને આપડે તેઓને માન આપતા હતા. તો પછી આપડા આત્મિક બાપ પરમેશ્વરને વિશેષ આધીન થયને આપડે જીવવું જોયી.


ઈ માણસોને એના પાપથી શુદ્ધ કરે છે, ઈ અને જેને ઈ શુદ્ધ કરે છે, ઈ બધાયનો બાપ એક જ છે. એથી ઈ તેઓને ભાઈઓ કેતા શરમાતા નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ