યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં હાજર ઘણાય લોકો બોવ હેરાન થય ગયા અને આ કારણે ઈ એકબીજાને પૂછવા લાગ્યા કે, “આ ક્યા પરકારનું શિક્ષણ છે? અમે કોયદી કોયને આટલા અધિકારથી શિક્ષણ આપતા નથી હાંભળ્યું! ઈ અધિકારથી મેલી આત્માને ખીજાય છે અને ઈ એનુ માનેય છે.”
પણ થોડાક માણસો એની હારે મળી ગયા, અને તેઓએ પરભુ ઉપર વિશ્વાસ કરયો, જેમાં દીઓનુસીઅસ જે એરિયોપાગસની મંડળીનો સભ્ય હતો, અને દામરીસ નામની એક બાય હતી, અને એની હારે બીજા થોડાક લોકો હતા.
થોડાક દિવસ પછી રાજ્યપાલ ફેલિકસ પોતાની બાયડી દ્રુસિલાને, જે યહુદી હતી, હારે લયને કાઈસારિયા શહેરમાં આવ્યા અને પાઉલને બોલાવીને ઈ વિશ્વાસના વિષયમાં, જે મસીહ ઈસુ ઉપર છે, એનાથી હાંભળો.