જે કોય મારી ઉપર વિશ્વાસ કરે અને નિશાનીના રૂપમાં જળદીક્ષા લેય, તો ઈ મારી ઉપર અત્યારે જ વિશ્વાસ કરે છે, ઈ પરમેશ્વર દ્વારા પોતાના પાપો હાટુ અપરાધી થવાથી બસાવવામાં આયશે. પણ જે વિશ્વાસ નય કરે, ઈ અપરાધી ઠરશે.
આવું કરવુ ઠીક છે જ નય, પણ આપડો તો ઈ વિશ્વાસ છે કે, જેવી રીતેથી આપડે પરભુ ઈસુની કૃપાથી તારણ પામશું, એવી રીતેથી ઈ હોતન તારણ પામશે,” નો કે, મુસાનાં નિયમોનું પાલન કરવાથી.
જઈ એને પોતાના બધાય પરિવારની હારે જળદીક્ષા લીધી. તો એણે આપને વિનવણી કરી કે, “જો તમે મને પરભુ ઉપર વિશ્વાસ કરનારી હમજો છો, તો આવીને મારા ઘરમાં રયો,” અને ઈ અમને મનાવીને લય ગય.
તઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદાર ક્રિસ્પસેતે પોતાના બધાય પરિવારની હારે ઈસુ ઉપર વિશ્વાસ કરયો, અને ઘણાયે કરિંથી શહેરમાં રેનારા લોકોને પણ હાંભળીને પરભુ ઉપર વિશ્વાસ કરયો અને જળદીક્ષા લીધી.
મસીહે આવું ઈ હાટુ કરયુ જેથી બિનયહુદીઓને ઈ જ આશીર્વાદ પ્રાપ્ત થાય, જેનો વાયદો પરમેશ્વરે ઈબ્રાહિમની હારે ઈસુ મસીહના દ્વારા કરયો હતો, અને મસીહના ઉપર વિશ્વાસ દ્વારા જેનું વચન આપ્યુ છે, ઈ પરમેશ્વરનો આત્મા પ્રાપ્ત કરે જેનો એણે આપણને આપવાનો વાયદો કરયો હતો.