27 જેલખાનાનો સોકીદાર જાગી ગયો, અને જેલખાનાના કમાડ ખુલા જોયને આ હમજ્યો કે અપરાધી ભાગી ગયા છે, ઈ હાટુ એણે તલવાર ખેસીને પોતાની જાતને મારી નાખવાની કોશિશ કરી.
અને ઈ મંદિરના ફળીયામાં સાંદીના સિકકા ફેકી દઈને બારે નીકળી ગયો અને એણે ગળા પાહો ખાધો.
જઈ હેરોદ રાજાએ પિતરને ગોત્યો, પણ ઈ એને મળ્યો નય. તઈ એણે સોકીદારોની પુછપરછ કરી, અને તેઓને મારી નાખવાનો હુકમ કરયો. પછી યહુદીયા પરદેશથી નીકળીને હેરોદ રાજા કાઈસારિયા શહેરમાં ગયો, અને ન્યા રયો.
પણ પાઉલે જોરથી રાડ નાખીને કીધું કે, “તુ પોતાની જાતને કેમ નુકશાન પુગાડ છો? કેમ કે, અમે આયા છયી.”
જેલખાના સોકીદારોએ ઈ વાત પાઉલને કીધી કે, “અમલદારે તમને છોડી દેવાની આજ્ઞા આપી છે, ઈ હાટુ હવે નીકળીને શાંતિથી વયા જાવો.”