ન્યા પાઉલે રાતે એક દર્શન જોયું કે, મક્દોનિયા પરદેશમા રેનારો એક માણસ ઉભો રયને એને વિનવણી કરી રયો છે, “દરિયાની ઓલે પાર ઉતરીને મકદોનિયા પરદેશમા આવ, અને અમારી મદદ કર.”
જઈ સિલાસ અને તિમોથી મકદોનિયા પરદેસમાંથી આવ્યા, તો એણે પડાવ બનાવવાનું બંધ કરી દીધુ, અને પાઉલ વચન હંભળાવાની ધૂનમાં યહુદી લોકોની સાક્ષી દેવા મંડ્યો કે, ઈસુ જ મસીહ છે.
જઈ આ વાતો થય ગય તો પાઉલે મકદોનિયા અને અખાયા પરદશોના વિશ્વાસી લોકોને મળ્યા પછી, યરુશાલેમ શહેરમાં જાવાનો નિર્ણય કરયો, અને કીધું કે, “ન્યા ગયા પછી રોમ શહેરમાં પણ જાવું જરૂરી છે.”
અને શહેરના બીજા ઘણાય લોકો અવાજને હાંભળીને તેઓ પણ ઈ લોકોની હારે ટોળામાં મળી ગયા, અને શહેરમાં મોટો ગડબડાટ મચી ગયો, તઈ લોકોએ મકદોનિયા પરદેશમા રેનારા ગાયસ અને આરિસ્તાર્ખસ જે પાઉલની હારે યાત્રી હતાં, એને પકડી લીધા, અને ઢહડીને અખાડાની બાજુ ભાગી ગયા.
અદ્રમુત્તિયા શહેરના એક વહાણ ઉપર આસિયા પરદેશના કાંઠેની જગ્યોએ જાવાનો હતો, ઈ જ વહાણના દ્વારા અમે અમારી યાત્રા સાલુ કરી, અને આરિસ્તાર્ખસ નામનો જે મકદોનિયાના પરદેશના થેસ્સાલોનિકાના શહેરના રેનારા પણ અમારી હારે હતા.
અને તમે પોતે જાણો છો કે, તમારી પાહે આવ્યા પેલા ફિલિપ્પી શહેરમાં દુખ અને અપમાન વેઠયા તો પણ અમને પરમેશ્વરે એવી હિંમત આપી કે, ઘણાય બધાય વિરોધ અમારી હામે થયા તો પણ પરમેશ્વરનાં હારા હમાસાર તમને હભળાવી.