34 પરમેશ્વરે એને કબરમાં હડવા નો દીધો અને મરેલામાંથી પાછો જીવતો કરી દિધો, એની વિષે એણે ઈ હોતન કીધું હતું કે, “હું તમને રાજા દાઉદ ઉપરનાં પવિત્ર અને કોયદી નાશ થાય નય એવા આશીર્વાદો આપય.”
પણ પરમેશ્વરે એને મરેલામાંથી પાછો જીવતો કરી દીધો,
પરમેશ્વરે ઈસુને મરેલામાંથી પાછો જીવતો કરીને, ઈ જ વાયદો આપડા દીકરાઓની હાટુ પુરો કરયો. જેમ ગીત શાસ્ત્રમાં લખ્યું છે કે, તુ મારો દીકરો છો, આજે જ હું તારો બાપ બની ગયો છું
પણ ઈસુને પરમેશ્વરે મરેલામાંથી જીવતા કરી દીધા, એનો દેહ કબરમાં હડયો નય.
તોય પરમેશ્વરે એને મોત પછી પાછો જીવતો કરી દીધો. એને એણે મોતની તાકાતથી છુટ્ટો કરયો, કેમ કે, તેઓ ઈસુને મોતની હાટુ પોતાના કાબુમાં રાખી હકતા નથી.
કેમ કે, આપડે જાણી છયી કે, મસીહ મરણમાંથી જીવી ઉઠયો અને ઈ પાછો કોયદી નય મરે, મોતનો એની ઉપર હવે કોય અધિકાર નથી.