Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 11:12 - કોલી નવો કરાર

12 તઈ પવિત્ર આત્માએ મને તેઓની હારે કાય શંકા કરયા વગર જાવાનું કીધું, અને જોપ્પા શહેરના છ વિશ્વાસી ભાઈઓ પણ મારી હારે આવ્યા અને અમે બધાય કર્નેલીયસના ઘરમાં ગયા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 11:12
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ એની હાટુ ઈ વિસારતો હતો એવામાં જ પરમેશ્વરનો સ્વર્ગદુત એને સપનામાં દેખાણો એને કીધુ કે, “હે યુસફ, દાઉદ રાજાની પેઢીના દીકરા તું મરિયમને તારી બાયડી બનાવવામાં બીતો નય, કારણ કે, જે ગર્ભ મરિયમને રયો છે, ઈ પવિત્ર આત્માથી છે.


તો પણ જઈ હાસાયનો આત્મા આયશે, તઈ ઈ તમને બધુય હાસમાં લય જાહે; કેમ કે, ઈ પોતાના વિષે કેહે નય; પણ જે કાય ઈ હાંભળશે ઈજ ઈ કેહે; અને જે જે થાવાનુ છે ઈ તમને કય બતાયશે.


એક દિવસ એકસો વીસ વિશ્વાસી લોકો ભેગા થયા, તઈ પિતર એની વસમાં ઉભો રયને કેવા મંડયો.


તઈ પિતરે એને પાહે બોલાવીને એની ઓળખાણ કરી કે, બીજે દિ પિતર એની હારે હતો, અને જોપ્પા શહેરના થોડાક વિશ્વાસી ભાઈઓ એની હારે ગયા.


તઈ બિનયહુદીઓ ઉપર પવિત્ર આત્મા ઉતરયો ઈ જોયને સુન્‍નતીઓમાંના જે વિશ્વાસીઓ પિતરની હારે આવ્યા હતા, ઈ બધાય સોકી ગયા.


એણે અમને ખબર કરી કે, મે મારા ઘરમાં એક સ્વર્ગદુતને ઉભો રયેલો જોયો, જેણે મને કીધું કે, “જોપ્પા શહેરમાં માણસને મોકલીને સિમોન જે પિતર કેવાય છે, એને બરકી લે.


જઈ ઈ ઉપવાસ હારે ભજન કરતાં હતાં, તો પવિત્ર આત્માએ કીધું કે, “મારી સેવા કરવા હાટુ, બાર્નાબાસ અને શાઉલને નોખા કરો, જેની હાટુ મે એને બરકા છે.”


શાઉલ અને બાર્નાબાસ પવિત્ર આત્માની સાક્ષીથી સિલુકિયા શહેરના દરિયા કાઠે વહાણ ઉતરવાની જગ્યાએ ગયા અને ન્યાંથી વહાણમાં બેહીને સાયપ્રસ ટાપુના સાલામિસ શહેરમાં વહાણ ઉતરવાની જગ્યાએ પુગ્યા.


તઈ પિતરે બોવ વાદ-વિવાદ થયા પછી ઉભા થયને એને કીધું કે, “હે ભાઈઓ, તમે જાણો છો કે, ઘણાય વખત પેલા, પરમેશ્વરે તમારામાંથી મને ગમાડયો કે, મારા દ્વારા બિનયહુદી લોકો હારા હમાસારના વચનો હાંભળીને વિશ્વાસ કરે.


અને વિશ્વાસ દ્વારા તેઓના મન પવિત્ર કરીને આપડે યહુદી અને બીજી જાતિના વિશ્વાસી લોકોમા કોય ભેદ નો રાખ્યો.


રોમ શહેરના થોડાક વિશ્વાસી ભાઈઓ બહેનોએ હાંભળ્યું કે, અમે ન્યા આવી રયા છયી, તો ઈ અમને મળવા અને અમને રોમ શહેરમાં લય જાવા હાટુ આપ્પિયસ શહેરની બજાર અને ત્રણ સ્યાર શહેર લગી હામાં આવ્યા, જેને જોયને પાઉલે પરમેશ્વરનો આભાર માન્યો અને બોવ રાજી થયો.


તઈ પવિત્ર આત્માએ ફિલિપને કીધું કે, “પાહે જયને એના રથની હારે થયજા.”


એટલે પરમેશ્વરનું ન્યાયીપણું જે મસીહ ઈસુ ઉપરનાં વિશ્વાસ દ્વારા બધાય વિશ્વાસ કરનારાઓની હાટુ છે ઈ; કેમ કે, એમા કાય પણ ફેરફાર નથી.


અને પરભુનો વખત આવી ગયો છે એવુ કેનારાથી તમારા મનમા વિશ્વાસ કરીને ગભરાય જાતા નય, તેઓ એમ કેહે કે, અમને આગમવાણીથી, શિક્ષણ અને લખેલા પત્ર દ્વારા દર્શન થયુ છે, જેમ કે, માની લ્યો કે ઈ અમારી તરફથી હોય.


પરમેશ્વરનો આત્મા અને ઘેટાના બસ્સાની કન્યા ઈસુને કેય છે કે, “તારે ખરેખર આવવું જોયી.” દરેક જે કોય આ હાંભળે છે, એને પણ આ કેવું જોયી, “આવ!” જે કોય તરસો છે એને આવીને ઈ પાણીને અપનાવવું જોયી જે ઉદારતાથી જીવન આપે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ