ફરોશી ટોળાનો માણસ ઉભો થયને, મનમા પ્રાર્થના કરવા મંડ્યો કે, “ઓ પરમેશ્વર, હું તારો આભાર માનું છું કેમ કે, હું બીજા માણસોની જેમ જુલમી, અન્યાયી, છીનાળવો અને આ વેરો ઉઘરાવનારાની જેવું કરતો નથી.
પછી યહુદી લોકો ઈસુને કાયાફાનાં મકાનમાંથી રોમન હાકેમના દરબારની અંદર લય ગયા, ઈ વેલી હવારનો વખત હતો, યહુદી લોકો દરબારની અંદર જય હક્યાં નય. તેઓ પોતાની જાતને અશુદ્ધ કરવા ઈચ્છતા નોતા. કેમ કે, તેઓ પાસ્ખા તેવારનું ભોજન ખાવા ઈચ્છતા હતાં.
ઈજ વખતે ઈસુના ચેલાઓ ન્યા આવ્યા, અને ઈસુ જે બાયની હારે વાત કરતાં ઈ જોયને નવાય લાગી, તો પણ કોય ચેલાઓએ પુછયું નય કે, “તમારે હેની જરૂર છે?” કા “તમે શું કામ ઈ બાયની હારે વાતો કરો છો?”