હું, માણસનો દીકરો મરી જાવ કેમ કે, આ શાસ્ત્રમા લખ્યું છે. પણ ઈ માણસને અફસોસ! જે મને પકડાવી દેવામાં મદદ કરે છે. જો ઈ જનમો નો હોત તો ઈ માણસ હાટુ હારું હોત.”
જઈ હું તેઓની હારે હતો, તો મે તારા નામના સામર્થથી, જે નામ તે મને આપ્યુ છે, મે એને હાછવીને રાખ્યો છે અને એની રખેવાળી કરી. અને જેનું ખોવાવાનુ નક્કી હતું, એને મુકીને એનામાંથી કાય પણ ખોવાણુ નથી, ઈ હાટુ કે, શાસ્ત્રમા જે કીધું છે, તેઓમાં મારો હરખ પુરેપુરો થાય.
જો બીજા લોકો એવું માનતા નથી કે, હું પરભુ ઈસુનો ગમાડેલો ચેલો છું, તો તમને ભાઈઓને એવું માનવું જોયી કેમ કે, હું ઈ જ છું જે તમારી પાહે હારા હમાસાર લયને આવ્યો હતો. પરભુ ઈસુમાં તમારો વિશ્વાસ ઈ સાબીત કરે છે કે, હું ખરેખર એનો ગમાડેલો ચેલો છું.
કેમ કે, પરમેશ્વર, સુન્નતીઓનો યહુદીઓની વસ્સે એક ગમાડેલો ચેલો થાવા હાટુ પિતરની નિમણુક કરી છે, આ ઈ જ હતો જેણે મને બિનયહુદીઓ વસ્સે ગમાડેલો ચેલો થાવા હાટુ નિમણુક કરયો.