Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 1:16 - કોલી નવો કરાર

16 “મારા ભાઈઓ, પવિત્ર આત્માએ ઘણાય વખત પેલા રાજા દાઉદ દ્વારા યહુદાની વિષે આગમવાણી કરી કે, જેમ કે ઈ ઈસુને પકડાવનારા લોકોની આગેવાની કરનારો બની જાહે. ઈ જરૂરી હતું કે, યહુદા વિષે શાસ્ત્રમા લખેલુ હતું ઈ પુરું થાય.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 1:16
38 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ યહુદા ઈશ્કારિયોત જે બાર ચેલાઓમાંથી એક હતો, એણે મુખ્ય યાજકોની પાહે જયને કીધુ કે,


ઈસુ હજી બોલતો હતો એટલામાં જોવ, બાર ચેલાઓમાનો એક એટલે યહુદા એક મોટા ટોળાની હારે આવ્યો હતો જે તલવાર અને લાકડીઓ પોતાની હારે લયને આવ્યા હતા. આ લોકોને મુખ્ય યાજકો, યહુદી નિયમના શિક્ષકો અને વડીલો દ્વારા મોકલવામાં આવ્યા હતા.


પણ શાસ્ત્રવચનમાં લખ્યું છે કે, એમ જ બધીય વાતો થાવી જોયી, ઈ કેવી રીતે પુરી થાહે?”


પણ આગમભાખયાઓના વચનો પુરા થાય ઈ હાટુ આ બધુય થયુ છે, તઈ બધાય ચેલાઓ ઈસુને મુકીને વયા ગયા.


ન્યા હુધી કે, દાઉદ રાજા જઈ પવિત્ર આત્માએ એને બોલવાનું સામર્થ્ય આપ્યુ, તો એણે કીધુ કે, “પરમેશ્વરે મારા પરભુને પોતાની પાહે માન અને અધિકારના પદમાં બેહવા હાટુ કીધુ હતું, જઈ કે, એણે એના બધા વેરીઓને પુરી રીતે એને આધીન કરી દીધા.”


જઈ ઈસુ હજી બોલતો હતો, તઈ યહુદા જે બાર ચેલાઓમાંથી એક હતો, ઈ ન્યા આવ્યો. ઈ એક મોટા ટોળાની હારે આવ્યો હતો જે તલવાર અને લાકડીઓ પોતાની હારે લયને આવ્યા હતા. આ લોકોને મુખ્ય યાજકો, યહુદી નિયમના શિક્ષકો અને વડીલો દ્વારા મોકલવામાં આવ્યો હતો.


જઈ ઈસુ આ કેય રયો હતો, તઈ એક લોકોનું ટોળું આવ્યું, અને બાર ચેલાઓમાંથી એક જેનું નામ યહુદા હતું, ઈ તેઓની આગળ હાલતો હતો, ઈ ઈસુની નજીક આવ્યો, જેથી ઈ ઈસુને સુંબન કરી હકે.


આપડે જાણી છયી કે, શાસ્ત્ર જે કેય છે ઈ હાસુ છે, જેને પરમેશ્વરનાં વચન આપવામાં આવ્યું, જો પરમેશ્વરે તેઓને દેવ કીધા.


હું તમારા બધાયના વિષે નથી કેતો, હું જાણું છું કે, કોને-કોને ગમાડીયા છે, પણ એવુ ઈ હાટુ થાય છે કે, શાસ્ત્રમા લખેલુ છે ઈ પુરું થાય કે, જેણે મારી હારે ખાવાનું ખાધું, એણેજ મને દગાથી પકડાવો છે.


જઈ હું તેઓની હારે હતો, તો મે તારા નામના સામર્થથી, જે નામ તે મને આપ્યુ છે, મે એને હાછવીને રાખ્યો છે અને એની રખેવાળી કરી. અને જેનું ખોવાવાનુ નક્કી હતું, એને મુકીને એનામાંથી કાય પણ ખોવાણુ નથી, ઈ હાટુ કે, શાસ્ત્રમા જે કીધું છે, તેઓમાં મારો હરખ પુરેપુરો થાય.


આ વાતો ઈ હાટુ થય કે, શાસ્ત્રમા લખેલુ છે ઈ પુરુ થાય, “એનુ એક પણ હાડકુ નય ભાગવામાં આવે.”


રાજા દાઉદે ગીતશાસ્ત્રની સોપડીમા લખ્યું છે કે, “એનુ ઘર ઉજ્જડ થાય અને એના ઘરમાં કોય રેય નય, અને રાજા દાઉદે ગીતશાસ્ત્રની સોપડીમા એક બીજી જગ્યાએ પણ લખ્યું છે કે, એનુ પદ બીજો લય લેય.”


નિયમમાંથી અને આગમભાખીયાઓની સોપડીમાથી વાસયા પછી યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદારોએ પાઉલ અને બાર્નાબાસની પાહે કેવાડયુ કે, “હે ભાઈઓ, જો લોકોને પ્રોત્સાહન હાટુ તમને કોય વાતો કેવી હોય તો કયો.”


ઈ હાટુ ભાઈઓ, અમે તમારી આગળ જે હારા હમાસાર પરગટ કરી છયી, ઈ તમારે હમજવુ જોયી કે એના લીધે તમને પાપોની માફી આપવામાં આવે છે. ઈસુ મસીહ દ્વારા જે વિશ્વાસી છે ઈ બધાય ન્યાયી ઠરશે. જેમા મુસાનો નિયમ પણ તમને ન્યાયી ઠરાવી હકે એમ નથી.


જઈ તેઓ બોલી રયા પછી યાકુબ કેવા લાગીયો કે, “હે ભાઈઓ, મારી વાત હાંભળો.


તઈ પિતરે બોવ વાદ-વિવાદ થયા પછી ઉભા થયને એને કીધું કે, “હે ભાઈઓ, તમે જાણો છો કે, ઘણાય વખત પેલા, પરમેશ્વરે તમારામાંથી મને ગમાડયો કે, મારા દ્વારા બિનયહુદી લોકો હારા હમાસારના વચનો હાંભળીને વિશ્વાસ કરે.


ઈ જ ઈસુ જે પરમેશ્વર દ્વારા બનાવેલી યોજના અને પેલાના જ્ઞાનના પરમાણે એને તમારા હાથમાં હોપવામાં આવ્યો. તમે એને ખરાબ લોકોની મદદથી ખીલા ઠોકીને વધસ્થંભે સડાવીને મારી નાખ્યો.


તઈ બધાય લોકો ઈ હાંભળીને બોવ દુખી થયા, અને તેઓ પિતર અને બીજા ગમાડેલા ચેલાઓને પૂછવા લાગયા કે, “હે વિશ્વાસી ભાઈઓ, અમે શું કરી?”


“ભાઈઓ અને આગેવાનો હું તમારી હામે મારો બસાવ રજુ કરું છું હાંભળો!”


પાઉલે મોટી સભાની હામે ધ્યાન દઈને અને કીધું કે, “ભાઈઓ, મે આજ હુધી પરમેશ્વરની હારે હાસા મનથી જીવન જીવ્યું છે.”


તઈ પાઉલે ઈ જાણીને થોડાક સદુકી ટોળાના લોકો અને થોડાક ફરોશી ટોળાના લોકોને, મોટી સભામાં રાડ નાખીને કીધું કે, “હે ભાઈઓ, હું ફરોશી ટોળાનો માણસ છું અને મારા બાપદાદા પણ ફરોશી ટોળાના છે, અને મારો ન્યાય ઈ હાટુ થાય છે. કેમ કે મારી આશા છે કે પરમેશ્વર લોકોને મરેલામાંથી જીવતા કરશે.”


ત્રણ દિ પછી એને યહુદી લોકોના સરદારને બોલાવ્યો, અને જઈ ઈ ભેગા થયા તો એને કીધું કે, “હે ભાઈઓ, મે પોતાના લોકોના કે બાપ દાદાના વેવારની વિરોધમાં કાય પણ નથી કરયું, તોય આરોપી બનાવીને યરુશાલેમ શહેરથી રોમ સરકારના હાથમાં હોપવામાં આવ્યો.


પછી અંદરો અંદર એકબીજાની હારે સહમત નો થય હક્યાં, તેઓ ન્યાંથી વયા જાવા મંડયા. તઈ પાઉલે એક બીજી વાત કીધી કે, “પવિત્ર આત્માએ યશાયા આગમભાખીયાની દ્વારા તમારા બાપ-દાદાને સોખુ કીધું હતુ,


સ્તેફને જવાબ દીધો કે, “હે ભાઈઓ, અને વડવાઓ, હાંભળો આપડા વડવા ઈબ્રાહિમને હારાન ગામમાં આવીને રેવાની પેલા ઈ મેસોપોટેમિયા પરદેશમા હતો, ન્યા મહિમાવાન પરમેશ્વરે એને દર્શન દીધા.”


મસીહનો આત્મા જે એનામા હતો, એણે મસીહનાં દુખ અને ઈ પછીના મહિમા વિષે સાક્ષી આપી, તઈ એણે ક્યો કા કેવો વખત બતાવ્યો એની તપાસ તેઓ કરતાં હતાં.


કેમ કે, આગમવાણી કોય દિ માણસની ઈચ્છા પરમાણે આવી નથી, પણ શિક્ષકો પવિત્ર આત્માની પ્રેરણાથી પરમેશ્વરનાં સંદેશાને બોલ્યા.


એની હાટુ હારું હોત તેઓએ કોય દિ શીખુ જ નોતુ કે, ન્યાયીપણાના મારગથી કેવી રીતે જીવવું જોયી. પણ પરમેશ્વર એને હજીય વધારે સજા દેહે કેમ કે, એણે એને જે કરવાનો ઈશારો દીધો, એને નકાર કરી દીધો; જેને અમે ગમાડેલા ચેલાઓએ એને દીધો હતો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ