Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 1:15 - કોલી નવો કરાર

15 એક દિવસ એકસો વીસ વિશ્વાસી લોકો ભેગા થયા, તઈ પિતર એની વસમાં ઉભો રયને કેવા મંડયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 1:15
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

વળી ઈસુએ તેઓને બીજો દાખલો આપ્યો કે, “સ્વર્ગનું રાજ્ય રાયના બી જેવું છે. કોય માણસ જયને પોતાના ખેતરમાં એને વાવ્યું છે.


મે પ્રાર્થના કરી કે, તુ તારો વિશ્વાસ ગુમાવતો નય, જઈ તમે મારી પાહે આવો તઈ તમારા ભાઈઓને વધારે મજબુત થાવામાં મદદ કરજો.


હું તમને હાસે હાસુ કવ છું કે, જે મારી ઉપર વિશ્વાસ કરે છે, ઈ પણ આ કામ કરે જે હું કરું છું, અને એનાથી પણ મોટા કામો કરશે, કેમ કે હું બાપની પાહે જાવ છું


એથી ઈ વાત ભાઈઓ અને બેનોમાં ફેલાય ગય કે, ઈ બીજો ચેલો નય મરે, તો પણ ઈસુએ એના વિષે આ કીધું કે ઈ નય મરે, પણ એમ કીધુ હતું કે, જો મારી ઈચ્છા હોય કે, “મારા પાછા આવવા લગી આ જીવતો રય, તો એનાથી તારે શું કામ?”


તઈ પિતરે એને પાહે બોલાવીને એની ઓળખાણ કરી કે, બીજે દિ પિતર એની હારે હતો, અને જોપ્પા શહેરના થોડાક વિશ્વાસી ભાઈઓ એની હારે ગયા.


પછી ગમાડેલા ચેલાઓ અને વિશ્વાસી ભાઈઓને જે યહુદીયા પરદેશમા હતાં, તેઓએ હાંભળ્યું કે બિનયહુદી જાતિના લોકોએ પણ પરમેશ્વરનાં વચનને માની લીધા છે.


તઈ પવિત્ર આત્માએ મને તેઓની હારે કાય શંકા કરયા વગર જાવાનું કીધું, અને જોપ્પા શહેરના છ વિશ્વાસી ભાઈઓ પણ મારી હારે આવ્યા અને અમે બધાય કર્નેલીયસના ઘરમાં ગયા.


અને જઈ ઈ શાઉલને મળો તો એને અંત્યોખ શહેરમાં લાવ્યો, અને આ થયુ કે તેઓ એક વરહ હુધી મંડળીના લોકોની હારે મળતા રયા, અને ઘણાય લોકોને પરભુ ઈસુના વિષે સંદેશો આપતા રયા, અને ઈસુ મસીહના ચેલાઓ બધાયની પેલા અંત્યોખ શહેરમાં જ મસીહ કેવાણા.


તઈ અંત્યોખ શહેરનાં વિશ્વાસીઓ ચેલાઓએ નિર્ણય કરયો કે દરેક માણસ પોત પોતાની જીવાય પરમાણે યહુદીયા પરદેશમા રેનારા વિશ્વાસી લોકોને મદદ કરવા હાટુ કાક દાન મોકલે.


તઈ પિતરે તેઓને હાથથી ઈશારો કરયો કે, સૂપ રયો, અને તેઓને બતાવ્યું કે, પરભુ કેવી રીતે એને જેલખાનામાંથી કાઢી લીયાવો છે, પછી કીધું કે, “યાકુબ અને બીજા વિશ્વાસી લોકોને મારી વિષે કય દેજો.” તઈ પોતે ન્યાંથી નીકળીને બીજી જગ્યા ઉપર વયો ગયો.


પણ વિશ્વાસ નો કરનારા યહુદી લોકોએ બિનયહુદી જાતિના લોકોને વિશ્વાસી લોકોના વિરોધમાં ઉશ્કેરીને અને વેર કરાવી દીધો છે.


પછી થોડાક યહુદી વિશ્વાસી લોકો યહુદીયા પરદેશથી અંત્યોખ શહેરમાં આવીને, બીજી જાતિમાંથી આવેલા વિશ્વાસી લોકોને શીખવાડવા લાગીયા કે, “જો મુસાની રીત પરમાણે તમારી સુન્‍નત કરવામા નો આવે, તો તમે તારણ પામી હકતા નથી.”


ઈ હાટુ મંડળીના લોકોએ તેઓને ન્યા જાવા હાટુ રૂપીયા અને ખાવાની વ્યવસ્થા કરી દીધી અને તેઓ ફિનિકિયા અને સમરૂન પરદેશોમા થયને ગયા. ન્યા વિશ્વાસી લોકોની હારે વાત કરી કે, બિનયહુદી જાતિના લોકો કેવા હારા હમાસાર હાંભળીને મસીહ ઉપર વિશ્વાસ કરી રયા છે, ઈ કયને તેઓએ બધાય વિશ્વાસી ભાઈઓને બોવ જ રાજી કરયા.


લુસ્ત્રા અને ઈકોનીયા શહેરના વિશ્વાસી લોકોમા એની આબરૂ હતી.


પાઉલ અને સિલાસ જેલખાનામાંથી નીકળીને લુદીયાના ઘરે ગયા, અને વિશ્વાસી લોકોને મળીને દિલાસો આપ્યો અને ન્યાંથી વયા ગયા.


વિશ્વાસી લોકોએ તરત રાતે પાઉલ અને સિલાસને બેરિયા શહેરમાં મોકલી દીધા, અને ઈ ન્યા પૂગીને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં ગયા.


તઈ વિશ્વાસી લોકોએ તરત પાઉલને દરિયા કાઠે મોકલી દીધો, પણ સિલાસ અને તિમોથી બેરિયા શહેરમાં જ રયા.


પણ જઈ ઈ એને નો મળ્યા, તઈ રાડો નાખીને યાસોન અને થોડાક વિશ્વાસી લોકોને શહેરના અધિકારીઓની પાહે ખેસીને લય ગયા, અને એને કેવા મંડયા કે, “ઈ માણસો જેણે જગતમાં ઉથલ-પાથલ કરી નાખી છે, ઈ આયા હોતન આવી ગયા છે.


પાઉલ ઘણાય દિ લગી કરિંથ શહેરમાં રયો. પછી વિશ્વાસી લોકોથી રજા લીઈને વહાણમાં બેહીને સિરિયા પરદેશમા વયો ગયો. પ્રિસ્કીલા અને આકુલા પણ એની હારે હતાં, અને સિરિયા જાવાની પેલા કેંખ્રિયામાં શહેરમાં પાઉલે પોતાનો ટકો કરાવી લીધો. કેમ કે, એણે માનતા માની હતી.


જઈ આપોલસે નક્કી કરયુ કે ઈ દરિયામાંથી થયને આગળ અખાયા પરદેશમા જાહે, તો વિશ્વાસી લોકોએ હિમંત આપીને જાવા દીધા, અને અખાયા પરદેશમા વિશ્વાસી લોકોને લખ્યું કે, ઈ આપોલસને ગ્રહણ કરે, અને એણે ન્યા પૂગીને ઈ લોકોને વિશ્વાસ વધારવામાં મોટી મદદ કરી, જેઓએ કૃપાના કારણે વિશ્વાસ કરયો હતો.


જઈ અમે યરુશાલેમ શહેરમાં પુગીયા, તો વિશ્વાસી ભાઈઓ અને બહેનોએ મોટા આંનદની હારે અમારું સ્વાગત કરયુ.


તેઓએ આ હાંભળીને પરમેશ્વરની મહિમા કરી, પછી એને કીધું કે, “હે ભાઈઓ, તમે જાણો છો કે, યહુદી લોકોમાંથી કેટલાય હજાર વિશ્વાસી કરયા છે, અને ઈ બધાય મૂસાના નિયમને મન લગાડીને પાલન કરે છે.


તુર શહેરથી સાલું કરેલી યાત્રા પુરી કરી અમે ટાલેમાઈસ શહેરમાં પુગ્યા. અને ભાઈઓને મળીને સલામ કરીને એની હારે એક દિવસ રયા.


આ વાત હાટુ પ્રમુખ યાજક અને મોટી સભાના બધાય વડીલ લોકો સાક્ષી છે કે, એનામાંથી યહુદી ભાઈઓની હાટુ સીઠ્ઠીઓ લયને દમસ્કસ શેહેરમાં જાતો હતો કે, જે ન્યાંથી એને હોતન દંડ દેવા હાટુ બાંધીને યરુશાલેમ શહેરમાં લીયાવું.


ન્યા અમને થોડાક વિશ્વાસી ભાઈ બહેનો મળ્યા, એણે અમને એક અઠવાડીયું એની હારે રેવા હાટુ કીધુ. આ રીતે એની હારે રયા પછી, અમે જમીનના મારગેથી રોમ શહેરની બાજુ હાલ્યા ગયા.


પછી પાનસો કરતાં વધારે વિશ્વાસી ભાઈઓને એક હારે દર્શન દીધુ કે, જેમાંથી મોટા ભાગના હજી જીવે છે અને કેટલાય મરી ગયા છે.


ઈ વખતે યરુશાલેમ શહેરમાં એક મોટો ધરતીકંપ થ્યો અને શહેરના મહેલોનો દસમો ભાગ નાશ થય ગયો અને ઈ ધરતીકંપથી 7,000 લોકો મરી ગયા અને જે લોકો બસી ગયા હતાં તેઓ ગભરાયને રોવા લાગ્યા અને ઈ પરમેશ્વરની મહાનતાની મહિમા કરવા લાગ્યા જે સ્વર્ગમા છે.


પણ હા, સાર્દિસમાં તારી હારે થોડાક જ વિશ્વાસી લોકો છે, જે પાપથી અશુદ્ધ નથી થયા, તેઓ શુદ્ધ ધોળા લુગડા પેરીને મારી હારે હાલશે, કેમ કે તેઓ લાયક છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ