તમારો ભાયબંધ તમને ઘરમાંથી જ જવાબ આપશે કે, “વયો જા, મને તકલીફ નો આપ, હમણાં કમાડ બંધ છે, હું મારા બાળકો હારે પથારીમાં છું, એટલે હું ઉઠીને તને રોટલી આપી હકુ એમ નથી.”
જો કોય મને તિતસના વિષે પૂછે, તો ઈ તમારી મદદ કરવામાં મારા ભાગીદાર છે, અને જો સાથી વિશ્વાસી ભાઈઓની વિષે પૂછે, તો તેઓ મંડળીના લોકો દ્વારા મોકલેલા અને જે કાય તેઓ કરે છે તેઓની દ્વારા મસીહ હાટુ માન મેળવે છે.
વળી મારાં ખરા સાથીદાર, હું તને વિનવણી કરું છું કે, તુ ઈ બહેનોની મદદ કરજે કેમ કે, તેઓએ મારી હારે અને ક્લેમેન્ટની હારે અને મારા બીજા સહકારીઓ જેઓના નામ જીવનની સોપડીમા છે તેઓની હારે હારા હમાસારના પરચારના કામમા ખુબ જ વધારે મેનત કરી છે.
અને ઈસુ જેને લોકો યુસ્તસ કેય છે, ઈ તમને સલામ કેય છે કેમ કે, આ બધાય સુન્નતીઓમાંના યહુદી વિશ્વાસી લોકોમાંથી ખાલી આ ત્રણ માણસો ઈજ પરમેશ્વરનાં રાજ્ય હાટુ મારી હારે કામ કરે છે, અને તેઓએ મને બોવ હિમંત આપી છે.
અને અમે તિમોથીને તમારી પાહે મોકલ્યો જે મસીહના હારા હમાસારમાં અમારો વિશ્વાસી ભાઈ છે, અને પરમેશ્વરનો સેવક છે. ઈ તમને મજબુત કરે, અને તમારા વિશ્વાસને વધારવામાં મદદ કરે.
ઈ હાટુ જો હું જઈ આવય, તો મંડળીના લોકોથીને મોંઢામોઢ વાત કરય કે, ઈ શું શું કરે છે, એટલે કે, અમારી ઉપર ખરાબ કામો કરવાના ખોટા આરોપ લગાડે છે. અને એટલુ જ નય ઈ પોતે પરચાર કરનારા ભાઈઓને સ્વીકારતા નથી અને જે તેઓનો સ્વીકાર કરવા માગે છે એને હોતન ના પાડે છે, અને તેઓને મંડળીમાંથી બારે કાઢી મુકે છે.